Thursday, June 25, 2026
HomeRecipesદિવાળીમાં બંગાળી મીઠાઈઓ છે ટ્રેન્ડમાં

દિવાળીમાં બંગાળી મીઠાઈઓ છે ટ્રેન્ડમાં

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવા વર્ષે મહેમાનોને ત્યાં જઈએ ત્યારે મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સ અને માવાની મીઠાઈઓ જ ડિશમાં ધરવામાં આવતી હોય છે.

6720×4480 Canon Camera Raw file created from CGImageRef by convert2Jpeg v1.1.0 from Woula Software LLC on 2018-12-08 16:43:23 at comp:0.42

મોટા ભાગે તહેવારોના સમયમાં મળતી કાજુકતરીમાં ખરેખર કેટલાં કાજુ હશે અને માવાની બરફીમાં ખરેખર સાચો માવો વપરાયો હશે કે નહીં એ મોટો સવાલ થાય. વળી દરેકના ઘરે એક જ પ્રકારની મીઠાઈઓ જોઈને આપણે પોતે જોવાથી જ ધરાઈ જઈએ છીએ તો આપણા મહેમાનોને પણ એવું જ થતું હશેને? તો આવો આજે સહેલાઈથી બની જાય એવી બંગાળી મીઠાઈઓ કેવી રીતે બનાવવી એ જોઈએ. હા, આ મીઠાઈઓ ડ્રાયફ્રૂટ્સ કે માવાની જેમ લાંબી ટકશે નહીં એટલે દિવાળીના આગલા દિવસે જ બનાવવી બહેતર રહેશે. થોડી મહેનત પડશે, પણ મહેમાનોને કંઈક હટકે સ્વીટ્સ ચખાડ્યાનો આનંદ પણ અનેરો હશે

રસગુલ્લા

સામગ્રી

એક લીટર ગાયનું દૂધ

અઢી કપ ખાંડ

આઠ કપ પાણી

ત્રણથી પાંચ ચમચી લીંબુનાં ફૂલનું પાણી

બનાવવાની રીત

દૂધ ગરમ કરી રાખો. ઊભરો આવે એટલે લીંબુનાં ફૂલનું પાણી ધીમે-ધીમે ઉમેરીને હલાવો. દૂધ બરાબર ફાટી જાય અને ફોદા થવા માંડે એટલે પાતળી ગળણીથી પનીર અલગ તારવી લો.

પનીરને પાણીથી ધોઈ લો અને પછી એક કપડામાં મૂકીને પાંચથી સાત મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દો.

બહાર કાઢીને એમાં એક ચમચી ખાંડ નાખીને મિક્સરમાં અટકી-અટકીને ફેરવો. એકધારું પીસવાનું નથી, બે-ચાર વાર સહેજ ફેરવીને અટકાવી દેવાનું છે. ખાંડને પનીરમાં સ્ટફ કરીને બરાબર મેળવી લો અને એના નાના બૉલ્સ બનાવો. બીજી તરફ બાકીની ખાંડમાં પાણી નાખીને ચાસણી બનાવો. ખાંડ ઓગળી જાય એટલે ચાસણીમાં કચરો હોય તો એ કાઢી લો અને પછી પનીરના બૉલ્સ એમાં નાખી દો. ઢાંકણ ઢાંકીને મીડિયમ આંચ પર દસ મિનિટ સુધી ઉકાળો. બસ આ બૉલ્સને સાતથી આઠ કલાક ચાસણીમાં રહેવા દો અને પછી સર્વ કરો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here