Friday, June 5, 2026
HomeWorldબહેરીન : ૨૦૦ વર્ષ જુના હિન્દુ મંદિરનું પુનઃનિર્માણ

બહેરીન : ૨૦૦ વર્ષ જુના હિન્દુ મંદિરનું પુનઃનિર્માણ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મંદિર ઉપર કુલ ૪૨ લાખ ડોલર ખર્ચાશે : બહેરીનમાં દ કિંગ હમાદ ઓર્ડર ઓફ દ રેનેસાથી વડાપ્રધાન સન્માનિત

મનામા, તા. ૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બહેરીનમાં દ કિંગ હમાદ ઓર્ડર ઓફ રેનેસાથી સન્માન કરવામાં આવ્યું છે. મોદીએ બેહરીનના શાહ હમાદ બિન ઇશા અલ ખલીફા સાથે જુદા જુદા વિષય પર વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે અનેક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓએ સાનુકુળ માહોલમાં આ વાતચીત યોજી હતી. બંને દેશોએ સંરક્ષણ, અંતરિક્ષ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એમઓયુ કર્યા હતા. બીજી બાજુ બહેરીન માનવીય આધાર પર જેલમાં રહેલા ૨૫૦ ભારતીયોને માફી આપવા માટે તૈયાર થયું છે. આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મોદી મધ્યપૂર્વના દેશમાં પહોંચ્યા હતા. મોદીએ બહેરીન સરકારનો આના માટે આભાર પણ માન્યો છે. બીજી બાજુ મોદી બહેરીન બાદ જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. આ બેઠકમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન, ઇટાલી, જર્મની અને ફ્રાંસ સામેલ થઇ રહ્યા છે. ભારત અને બેહરીનના બંને નેતાઓની વચ્ચે ભારત અને બહરીનની દોસ્તી, વ્યાપારિક સંબધો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને લઈને ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના સેક્રેટરી રવીશ કુમારે ટિ્‌વટ કરીને આ માહિતી આપી હતી. મોદી બહરીનનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશો ફ્રાન્સ, યુએઈ અને બહરીનના પ્રવાસના ત્રીજા તબક્કામાં શનિવારે રાતે અહીં પહોંચ્યા હતા. અગાઉ તે યુએઈમાં હતા. અહી તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરી હતી. બંને દેશોની વચ્ચે વેપાર અને સાંસ્કૃતિક સબંધોમાં સુધારના ઉપાયો પર ચર્ચા થઈ હતી. બહરીનના વડાપ્રધાન પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફા એરપોર્ટ પર મોદીને લેવા માટે પહોંચ્યા હતા. બાદમાં અલ-ગુદાઈબિયા પેલેસમાં મોદીનું સેરેમોનિયલ વેલકમ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here