બીજાપુરમાં IED બ્લાસ્ટ, CRPFની 85 બટાલિયનના બે જવાન ઘાયલ

0
1

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો

બે જવાનને પ્રાથમિક સારવાર અર્થે રાયપુર ખસેડાયા

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટમાં CRPF 85 બટાલિયનના બે જવાન ઘાયલ થયા છે, તેમને પ્રાથમિક સારવાર અર્થે રાયપુર ખસેડાયા છે.

ગયા મહિને છત્તીસગઢના દંતેવાડા વિસ્તારમાં અરનપુર નક્સલી હુમલામાં પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી હતી. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં સઘન નક્સલી પેટ્રોલિંગ દ્વારા નક્સલીઓ અને આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોની સતત શોધ કરવામાં આવી રહી છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.