Wednesday, August 5, 2026
Homenationalબેકારીના આંકડા ખોટા છે, કોઇની નોકરી ગઇ નથી: નિત્યાનંદ રાય

બેકારીના આંકડા ખોટા છે, કોઇની નોકરી ગઇ નથી: નિત્યાનંદ રાય

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભોપાલ, તા.11 સપ્ટેમ્બર 2019 બુધવાર

કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ભોપાલમાં કહ્યું હતું કે બેકારીના અને અર્થતંત્રના કહેવાતા પતનના આંકડા સાવ ખોટા છે. કોઇ વ્યક્તિએ નોકરી ગુમાવી નથી.

તેમણે એવો દાવો કર્યો હતો કે ખેતપેદાશ વધી છે, મુદ્રા યોજના હેઠળ અનેક લોકો લોન મેળવી રહ્યા છે. જુદી જુદી કંપનીઓ જુદા જુદા ક્ષેત્રમાં મૂડીરોકાણ કરી રહી છે. જો કે કેટલાંક ક્ષેત્રેા એવાં છે જેને સુધારવા માટે સરકાર હાલ સક્રિય છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે દેશને 5000 અબજ ડૉલરનું અર્થતંત્ર બનાવવા કમર કસી છે અને એ માટે કેટલાંક નક્કર પગલાં લેવામાં આવ્યાં છે. બેંકિંગ ક્ષેત્રને સુદ્રઢ કરવાના પગલાં પણ લેવાઇ રહ્યાં છે. જુદા જુદા કાયદા દ્વારા ભ્રષ્ટાચારને નાથવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. કરવેરાના કાયદાને સરળ બનાવાયા છે જેથી કરદાતાઓની સંખ્યા વધવા ઉપરાંત કરવેરાની આવક વધી રહી છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જમ્મુ કશ્મીરની 370મી કલમ રદ કરીને મોદી સરકારે આતંકવાદને ડામવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. અમારી સરકાર સ્થપાયાના પહેલા એકસો દિવસમાં જ અમે ઘણાં કાર્યો હાથ પર લીધાં હતાં જેમાંના કેટલાંક સફળ થઇ રહ્યાના અણસાર મળી રહ્યા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here