Tuesday, July 7, 2026
Homenationalકિર્તિદાને મોરારિ બાપુને પોતાના બાપ ગણાવ્યા છે

કિર્તિદાને મોરારિ બાપુને પોતાના બાપ ગણાવ્યા છે

Date:

Related stories

જગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા...

ઝી ટીવીનો જગધાત્રી એ હવે ચર્ચાનો વિષય બન્યો છે,...

તમારા માટે આ પ્રવચન,મારા માટે સ્વાધ્યાય છે:બાપુ

બુદ્ધપુરુષનાંઅધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે. ઘણા લોકો માટે આ...

નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતનાં સૌથી મોટા ઇમ્પેક્ટ ફંડ પૈકીનું...

નેક્સ્ટ ભારતનું બીજું ફંડ, જેનું નેતૃત્વ મુખ્ય LP તરીકે...

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ...

બેંગ્લોર, જુલાઇ, 2026: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે તાજેતરમાં તેની...

આઇડીએફસી ફર્સ્ટ બેંક એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) પ્લેટફોર્મ...

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ), શ્રમ અને રોજગાર મંત્રાલય,...

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલ્વે...

અમદાવાદ : નિલકંઠવર્ણીનો વિવાદ રોજ વધુને વધુ વકરતો જાય છે. સાધુ-સંતો બાદ હવે કલાકારો મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે. હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કહ્યું કે, બાપુ તો મારા માટે ભગવાન છે તો, જાણીતા હાસ્ય અને ડાયરા કલાકાર માયાભાઇ આહિર અને કિર્તિદાન ગઢવીએ મોરારિબાપુને પોતાના બાપ ગણાવ્યા છે. સાથે સાથે આ ત્રણેય કલાકારોએ કહ્યું કે, બસ હવે આ વિવાદનો અંત લાવો. આપણો એક જ ધર્મ છે તેને મજબૂત કરીએ. આપણે લેવા દેવા વગરનો વિવાદ ઉભો કર્યો છે.જાણીતા હાસ્યકલાકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, મારોરિ બાપુ અમારો બાપ છે, એ કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી. આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક કરવા નીકળ્યા છીએ ત્યારે સામાન્ય બાબતને લઇને વિવાદને વધુને વધુ વિકરાળ ન બનાવીએ. આજુબાજુના દેશો આપણા પર આક્રમણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે. દરમ્યાન હાસ્યકલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, બાપુ મારા માટે ભગવાન છે. બાપુની કરૂણા કિન્નરો સુધી પહોંચી છે ત્યારે બાપુ માટે કેટલી સન્માનની વાત કહેવાય. બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે મને દુઃખ થાય છે. સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકીને આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરીએ તેવી મારી પ્રાર્થના છે. આપણે રોજ નવા મેસેજ મુકીને આગને હવા દેવાનું કામ કરી રહ્યા છીએ. તો, લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હિન્દુઓનો સૌપ્રથમ ધર્મ હોય તો તે સનાતન ધર્મ છે. બાપુને કોઇ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઇને ઠેસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા. આપણે ચેતવું જોઇએ કે હિન્દુઓની વસ્તી વિશ્વમાં ખૂબ ઓછી છે. આપણે અંદરો અંદર વાદ વિવાદ કરીએ તો આનો અંત ક્યારે આવશે. બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે.

જગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા...

ઝી ટીવીનો જગધાત્રી એ હવે ચર્ચાનો વિષય બન્યો છે,...

તમારા માટે આ પ્રવચન,મારા માટે સ્વાધ્યાય છે:બાપુ

બુદ્ધપુરુષનાંઅધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે. ઘણા લોકો માટે આ...

નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતનાં સૌથી મોટા ઇમ્પેક્ટ ફંડ પૈકીનું...

નેક્સ્ટ ભારતનું બીજું ફંડ, જેનું નેતૃત્વ મુખ્ય LP તરીકે...

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ...

બેંગ્લોર, જુલાઇ, 2026: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે તાજેતરમાં તેની...

આઇડીએફસી ફર્સ્ટ બેંક એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) પ્લેટફોર્મ...

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ), શ્રમ અને રોજગાર મંત્રાલય,...

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલ્વે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here