Monday, September 14, 2026
HomeGujaratAhmedabadમનબા ફાઇનાન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ...

મનબા ફાઇનાન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ ખૂલશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ : મનબા ફાઇનાન્સ લિમિટેડ, નવી ટુ-વ્હીલર (2Ws,) થ્રી-વ્હીલર (3Ws), ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (EV2Ws), ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (EV3Ws), યુઝ્ડ કાર્સ, સ્મોલ બિઝનેસ લોન્સ અને પર્સનલ લોન્સ માટે નાણાકીય સોલ્યુશન પૂરા પાડતી NBFC-BL છે. કંપનીએ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/-ની મૂળ કિંમતના પ્રત્યેક (“ઈક્વિટી શેર્સ”)ની પ્રાઈસ બેન્ડ રૂ. 114/- રૂ. 120/- પ્રતિ ઈક્વિટી શૅર નક્કી કરી છે.કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઑફર”) સબસ્ક્રિપ્શન માટે સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 125 ઇક્વિટી શૅર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 125 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ ભરવાની રહેશે. IPO સંપૂર્ણપણે 1,25,70,000 શેર્સનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ઓફ સેલનો હિસ્સો નથી. કંપની તેના તાજા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા ભંડોળનો મોટો બેઝ નિર્માણ કરી રહી છે.

મનબા ફાઇનાન્સે 1998માં મુંબઈ, મહારાષ્ટ્રમાંથી NBFC તરીકે તેનો વ્યવસાય શરૂ કર્યો હતો અને 2009 થી સમગ્ર રાજ્યમાં શાખાઓ અને સ્થાનોની સંખ્યામાં વૃદ્ધિના માર્ગે તેની કામગીરી વધારી હતી. તેની શાખાઓ શહેરી, અર્ધ-શહેરી અને મેટ્રોપોલિટન શહેરો અને નગરોમાં સ્થિત છે જે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપે છે. મુંબઈ, મહારાષ્ટ્રની બહાર સ્થિત કંપની પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં છ (6) રાજ્યોમાં 29 શાખાઓ સાથે જોડાયેલા 66 સ્થાનોમાંથી કાર્યરત છે. તેણે સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 190 થી વધુ EV ડીલરો સહિત 1,100 થી વધુ ડીલરો સાથે સંબંધો સ્થાપિત કર્યા છે. તેણે તાજેતરમાં તેનો લોન પોર્ટફોલિયો યુઝ્ડ કાર લોન્સ, સ્મોલ બિઝનેસ લોન્સ અને પર્સનલ લોન્સ સુધી વિસ્તાર્યો છે અને તે તેના વધુ નવા પ્રોડક્ટ્સ સાથે માર્કેટમાં પ્રવેશ કરવા માટે તેના હાલના નેટવર્કનો લાભ લેવા માગે છે.તે પગારદાર અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓને લોનની મંજૂરી અને વિતરણ માટે ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઈમ (TAT) સાથે નાણાકીય ઉકેલો પૂરા પાડે છે. તેના લોન પોર્ટફોલિયોના લગભગ 97.90%માં ટુ-વ્હીલર લોન માટે આશરે રૂ. 80,000 ની એવરેજ ટિકિટ સાઈઝ (ATS) અને થ્રી-વ્હીલર લોન માટે આશરે રૂ. 1,40,000 ની એવરેજ ટિકિટ સાઈઝ (ATS) સહિત નવી વાહન લોનનો સમાવેશ થાય છે. મનબા ફાઈનાન્સ પ્રસ્તાવિત વાહનની ખરીદ કિમતના (ઓન રોડ પ્રાઈસ) 85% સુધીનું ભંડોળ ગ્રાહકને પૂરા પાડે છે. ગ્રાહકોને ભંડોળ કંપની તેની આંતરિક ધિરાણ નીતિઓ, LTV અને ગ્રાહકના હાલના રોકડ પ્રવાહ, CIBIL સ્કોર અને કોલેટરલના આધારે આપે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here