Thursday, June 25, 2026
HomeIndiaમહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે બેઠક

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે બેઠક

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત ચૂંટણીમાં 105 બેઠકો પણ જીત મેળવી હતી. જેની આ વખતે 125થી વધુ બેઠકો પર જીત જોવા મળી રહી છે. એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેના 81 બેઠકો પરથી 55 બેઠકો પર લીડ કરી રહ્યું છે. મહાયુતિની બહુમતી સાથેની જીતથી હવે સવાલ ઉભો થયો છે કે, મુખ્યમંત્રી કોણ બનશે?

એવી કોઈ ફોર્મ્યુલા નથી બનાવી, બેઠક બાદ નિર્ણય લેવાશે :
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનએ જબરદસ્ત લીડ મેળવી છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો પણ તેમણે જવાબ આપ્યો છે. શિંદેને પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલા સૌથી વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટીના નેતાને મુખ્યમંત્રી બનાવવાની વાત થઈ હતી. જેના જવાબમાં તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા આવી કોઈ ફોર્મ્યુલા બનાવવામાં આવી નથી. એકનાથ શિંદેએ કહ્યું કે આ અંગે મહાગઠબંધનના તમામ પક્ષોની બેઠક થશે. ત્યારબાદ તે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આજે હું મહારાષ્ટ્રના તમામ મતદારોનો આભાર માનું છું કારણ કે આ જીત ઐતિહાસિક છે. આ પ્રસંગે એકનાથ શિંદેએ મહાયુતિના તમામ કાર્યકરોનો આભાર પણ માન્યો હતો.રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપની બહુમતીને ધ્યાનમાં રાખતાં ભાજપ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. પરંતુ એકનાથ શિંદેને પણ મુખ્યમંત્રી પદ આપવામાં આવે તેવી માગ શિવસેનાના કાર્યકરો દ્વારા થઈ રહી છે. મહાયુતિની જીત બાદ આવતીકાલે સીએમ પદ માટે બેઠક યોજાય તેવી વકી છે. અગાઉ 2019ની ચૂંટણીમાં શિવસેનામાં એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બની. શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ સોંપવામાં આવ્યું. પરિણામે મહારાષ્ટ્રમાં કોઈપણ રાજકીય ખેંચતાણ વિના મહાયુતિએ શાસન કર્યું. પરંતુ તે સમયે ભાજપ પાસે 105 બેઠકો હતી. આ વખતે ભાજપ 125થી વધુ બેઠક જીતી શકે છે, તો સમય આવી ગયો છે કે, શિંદે ભાજપને રિટર્ન ગિફ્ટમાં સીએમની ખુરશી આપે.

એકનાથ શિંદેનું ભવિષ્ય :
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ બને તેવી શક્યતાઓ વધી છે. જો આમ થાય તો એકનાથ શિંદેના ભવિષ્ય પર સવાલ છે કે, મુખ્યમંત્રી રહી ચૂકેલા શિંદે નવી સરકારમાં કઈ ભૂમિકા નિભાવશે? અપેક્ષા છે કે, ગઠબંધનમાં તેઓ ફડણવીસના ડેપ્યુટી સીએમ તો નહીં જ બને, તેમને મહત્ત્વનું મંત્રાલય સોંપી શકે છે. જેથી મહારાષ્ટ્રમાં તેમનો પક્ષ અને નેતાઓનો વિશ્વાસ જળવાઈ શકે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here