Monday, September 14, 2026
HomeGujaratAhmedabadમહુવા-સુરત અને સુરત-મહુવા ટ્રેનની સંખ્યા અને સમયમાં ફેરફાર થશે

મહુવા-સુરત અને સુરત-મહુવા ટ્રેનની સંખ્યા અને સમયમાં ફેરફાર થશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વનવિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવતા ગતિ નિયંત્રણ ને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરત અને સુરત મહુવા ટ્રેનોને સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવા અને તેના નંબર અને સમયમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે, જેના કારણે આંશિક રીતે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ,1. ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટ હવે 25 ઓગસ્ટ, 2024થી ટ્રેન નંબર 19256 મહુવા-સુરત એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ટ્રેન મહુવા સ્ટેશનથી 1 કલાક 20 મિનિટ વહેલી એટલે કે 19.15 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 17.55 કલાકે ઉપડશે. ઢસા અને સુરત વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે રાજુલા સ્ટેશન પર 18.35/18.37 કલાક, સાવરકુંડલા સ્ટેશન પર 19.44/19.45 કલાક, લીલીયા મોટા સ્ટેશન પર 20.22/20.23 કલાક અને દામનગર સ્ટેશન પર 21.00/21.01 કલાકનો રહેશે.2. ટ્રેન નંબર 20955 સુરત – મહુવા સુપરફાસ્ટ હવે 24મી ઓગસ્ટ, 2024થી ટ્રેન નંબર 19255 સુરત – મહુવા એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સુરત અને દામનગર વચ્ચેની આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર લીલીયા મોટા અને મહુવા વચ્ચેના સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે લીલીયા મોટા સ્ટેશન પર 07.25/07.26 કલાક, સાવરકુંડલા સ્ટેશન પર 08.10/08.11 કલાક અને રાજુલા સ્ટેશન પર 08.55/08.56 કલાકનો રહેશે. આ ટ્રેન તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે 09.10 ના બદલે 55 મિનિટ મોડી એટલે કે સવારે 10.05 કલાકે મહુવા સ્ટેશન પહોંચશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here