Thursday, June 25, 2026
HomeGujaratરાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે 800 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ

રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે 800 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

રાજકોટ : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય પૈકીના આરોપી મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ અને ક્લાસ-1 અધિકારી મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે એસીબીએ કરોડોની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો. તપાસના અંતે એસીબીએ 800 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે.એસીબીએ મનસુખ સાગઠિયા સામે ગઇ તા. 19-6-2024 ના રોજ રૂ. 10.55 કરોડની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો. ત્યાર પછી આ કેસમાં સિટની રચના કરવામાં આવી હતી. સાગઠિયાની આ ગુનામાં એસીબીની સિટે ધરપકડ કરી તેના ભાઈની ટવીન સ્ટાર ટાવર બિલ્ડિંગમાં આવેલી ઓફિસની જડતી કરતાં રૂ. 14.84 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ. 3.05 કરોડની રોકડ રકમ અને રૂ. 1.82 લાખનું વિદેશી ચલણ મળી કુલ રૂ. 17.91 કરોડની મત્તા મળી આવી હતી. આ રીતે સાગઠિયાની એકંદરે ૨૮ કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી.જો કે એસીબીની તપાસના અંતે અપ્રમાણસર મિલકતનો આંક ઘટીને રૂ. 24.31 કરોડ સુધી પહોંચ્યો છે. આ બાબતે એસીબીના સૂત્રોએ જણાવ્યું કે આરોપીની અમુક કાયદેસરની આવક મળી આવતા અપ્રમાણસર મિલકતનો આંક ઘટી ગયો છે. હાલ જે 24.31 કરોડની અપ્રમાણસર મિલકત છે તે આરોપીની કાયદેસરની આવક કરતાં 628.42 ટકા વધું છે, તે મુજબનું ચાર્જશીટ એસીબી કોર્ટમાં કરવામાં આવ્યું છે.આ ચાર્જશીટ આમ તો 800 પાનાનુ છે. પરંતુ તેમાં કુલ કાગળની સંખ્યા 16,230 છે. આ કેસમાં કુલ 78 સાહેદોના નિવેદનો એસીબીએ લીધા છે. તેની સાથે 85 દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કર્યા છે. આ કેસમાં સ્પેશિયલ પીપીની પણ નિયુક્તિ કરવામાં આવી છે તે અત્રે ઉલ્લેખનીય છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here