Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadCM, મંત્રી કે ઓફિસર પાંચ હજારથી વધુની ભેટ-સોગાદ રાખી શકશે નહીં :...

CM, મંત્રી કે ઓફિસર પાંચ હજારથી વધુની ભેટ-સોગાદ રાખી શકશે નહીં : તોશાખાનાના નિયમમાં બદલાવ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટના મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ કે ઉચ્ચ અધિકારીઓને પ્રસંગોપાત મળેલી ભેટ-સોગાદો માટેના નિયમોમાં 10 વર્ષ પછી પરિવર્તન કરવામાં આવ્યું છે, જે અનુસાર આ મહાનુભાવો પાંચ હજારથી વધુની ભેટ-સોગાદ રાખી શકશે નહીં, જો તેને પ્રાપ્ત કરવી હોય તો તેનાથી વધારે થતી કિંમત સરકારને ચૂકવવાની રહેશે. વિદેશથી વસ્તુઓ મળી હોય તો 10 હજારની મર્યાદામાં રાખી શકશે, તેનાથી કિંમત વધી જાય તો સરકારને રકમ ચૂકવવી પડશે. એવી જ રીતે વિદેશ પ્રવાસ વખતે મળેલી 10 હજાર રૂપિયાના મૂલ્ય સુધીની ભેટ-સોગાદ જે તે મહાનુભાવ પોતાની પાસે રાખી શકશે પરંતુ તેની જો કિંમત વધી જાય તો તફાવતના નાણાં ચૂકવવા પડશે, અન્યથા રાજ્યના તોશાખાનામાં તે ભેટ-સોગાદ જમા કરાવવી પડશે. રાજ્યના નાણાં વિભાગે લાંબા સમય પછી તોશાખાનાના નિયમોમાં પરિવર્તન કર્યું છે.નાણા વિભાગના નાયબ સચિવ ભાવિતા રાઠોડે બહાર પાડેલા આદેશમાં જણાવાયું છે કે 10 વર્ષ પહેલાં એવો નિયમ હતો કે એક હજારના મૂલ્યની ભેટ મંત્રીઓ કે અધિકારીઓ ઘરે લઇ જઇ શકતા હતા પરંતુ તેમાં પરિવર્તન કરીને તેની મર્યાદા હવે 5000 રૂપિયાની કરવામાં આવી છે. એવી જ રીતે વિદેશી ચીજવસ્તુઓની મર્યાદા પાંચ હજારથી વધારીને 10 હજાર કરવામાં આવી છે. ભેટ ગ્રહણ કરનાર આટલી મર્યાદામાં હોય તો તેની પાસે રાખી શકે છે અન્યથા તોશાખાનામાં જમા કરાવી તેની હરાજી કરવામાં આવે છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here