Thursday, June 25, 2026
HomeGujaratAhmedabadCM, મંત્રી કે ઓફિસર પાંચ હજારથી વધુની ભેટ-સોગાદ રાખી શકશે નહીં :...

CM, મંત્રી કે ઓફિસર પાંચ હજારથી વધુની ભેટ-સોગાદ રાખી શકશે નહીં : તોશાખાનાના નિયમમાં બદલાવ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટના મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ કે ઉચ્ચ અધિકારીઓને પ્રસંગોપાત મળેલી ભેટ-સોગાદો માટેના નિયમોમાં 10 વર્ષ પછી પરિવર્તન કરવામાં આવ્યું છે, જે અનુસાર આ મહાનુભાવો પાંચ હજારથી વધુની ભેટ-સોગાદ રાખી શકશે નહીં, જો તેને પ્રાપ્ત કરવી હોય તો તેનાથી વધારે થતી કિંમત સરકારને ચૂકવવાની રહેશે. વિદેશથી વસ્તુઓ મળી હોય તો 10 હજારની મર્યાદામાં રાખી શકશે, તેનાથી કિંમત વધી જાય તો સરકારને રકમ ચૂકવવી પડશે. એવી જ રીતે વિદેશ પ્રવાસ વખતે મળેલી 10 હજાર રૂપિયાના મૂલ્ય સુધીની ભેટ-સોગાદ જે તે મહાનુભાવ પોતાની પાસે રાખી શકશે પરંતુ તેની જો કિંમત વધી જાય તો તફાવતના નાણાં ચૂકવવા પડશે, અન્યથા રાજ્યના તોશાખાનામાં તે ભેટ-સોગાદ જમા કરાવવી પડશે. રાજ્યના નાણાં વિભાગે લાંબા સમય પછી તોશાખાનાના નિયમોમાં પરિવર્તન કર્યું છે.નાણા વિભાગના નાયબ સચિવ ભાવિતા રાઠોડે બહાર પાડેલા આદેશમાં જણાવાયું છે કે 10 વર્ષ પહેલાં એવો નિયમ હતો કે એક હજારના મૂલ્યની ભેટ મંત્રીઓ કે અધિકારીઓ ઘરે લઇ જઇ શકતા હતા પરંતુ તેમાં પરિવર્તન કરીને તેની મર્યાદા હવે 5000 રૂપિયાની કરવામાં આવી છે. એવી જ રીતે વિદેશી ચીજવસ્તુઓની મર્યાદા પાંચ હજારથી વધારીને 10 હજાર કરવામાં આવી છે. ભેટ ગ્રહણ કરનાર આટલી મર્યાદામાં હોય તો તેની પાસે રાખી શકે છે અન્યથા તોશાખાનામાં જમા કરાવી તેની હરાજી કરવામાં આવે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here