Wednesday, August 12, 2026
HomeWorldશક્તિશાળી વાવાઝોડાના કારણે જાપાનમાં 17000 ઘરો ખાલી કરવા આદેશ : રેલવે-વિમાન સેવાઓ...

શક્તિશાળી વાવાઝોડાના કારણે જાપાનમાં 17000 ઘરો ખાલી કરવા આદેશ : રેલવે-વિમાન સેવાઓ રદ કરાઈ

Date:

Related stories

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

જાપાનમાં વાવાઝોડું એમ્પિલના ખતરાને ધ્યાને રાખી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટોક્યોના દરિયા કિનારા પાસે રહેતા લોકોને તુરંત ઘરો ખાલી કરવાના નિર્દેશ જાહેર કરાયા છે. આ ઉપરાંત અહીં રેલવે અને વિમાન સેવાઓ પણ રદ કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ટોક્યોના દરિયા કિનારે પહોંચ્યું છે, જેને ધ્યાને રાખી સંયુક્ત વાવાઝોડા ચેતવણી કેન્દ્ર (JTWC) દ્વારા એલર્ટ જાહેર કર્યું છે. જેટીડબલ્યુસીના જણાવ્યા મુજબ વાવાઝોડું એમ્પિલ શક્તિશાળી બની ગયું છે અને તે ટોક્યોના દરિયા કિનારે પહોંચી ગયું છે. વાવાઝોડું આગામી 12 કલાકમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જ્યારે વાવાઝોડું જાપાન પાસેથી પસાર થશે, ત્યારે તેની મોટી અસર થવાની પણ સંભાવના છે.

ઘરોને ખાલી કરવા અપાયો આદેશ :
ઈસુમીના દરિયાકાંઠાના વિસ્તારોના અધિકારીઓએ વાવાઝોડાને ધ્યાને રાખી લગભગ 17000 ઘરો ખાલી કરવા નોટિસ જારી કરી છે. આ સાથે તેમણે વૃદ્ધો અને દિવ્યાંગોની સુરક્ષા કરવા માટે તેમની શોધખોળ કરવાની શરૂઆત કરી દીધી છે. આ વિસ્તારમાં આજે મોડી રાત સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન ભારે પવન ફુંકાવાની સાથે મૂશળધાર વરસાદ પણ પડી શકે છે. યોકોહામા શહેરમાં પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. આજે સવારે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે પવનના કારણે હજારો ઘરોની વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. વાવાઝોડા અંગેની નોટિસ મળ્યા બાદ રેલવે અને એરલાઈન્સની સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. દેશની બે મુખ્ય એરલાઈન્સ જાપાન એરલાઈન્સ અને ઑલ નિપ્પૉન એરલાઈન્સે 500થી વધુ ફ્લાઈટો રદ કરી દીધી છે. આ ઉપરાંત છ બુલેટ રેલવે સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.હવામાન વિભાગે ઉત્તર અને પૂર્વી જાપાન માટે ભારે વરસાદ, ભારે પવન, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ તમામ લોકોને જરૂરી સાવચેતી રાખવા અને વાવાઝોડાની અસર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. ચક્રવાતનું કેન્દ્ર કાંઠાથી થોડું દૂર છે.

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here