Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadસુખી-સંપન્ન પરિવારનાં દંપતીનો 23 વર્ષના દીકરા સાથે આપઘાત

સુખી-સંપન્ન પરિવારનાં દંપતીનો 23 વર્ષના દીકરા સાથે આપઘાત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વડોદરા: શહેરનાં એક સંપન્ન પરિવારે પોતાની કારમાં સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિવારે પાવાગઢ હાઈવે પર આવેલા ભાટ ગામ પાસે પોતાની કારમાં બેઠા-બેઠા જ ઝેર પી લીધું હતું. મૃતક પરિવાર શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો હતો.મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીના બંગલા નંબર 1664માં રહેતા વિક્રમ ત્રિવેદી(ઉં. 55 વર્ષ), તેમનાં પત્ની હિનાબેન ત્રિવેદી (ઉં.52) અને પુત્ર હર્નિલ (ઉં. 23 વર્ષ) બુધવારે રાત્રે પોતાના ઘરેથી ભાટ ગામ પાસે આવ્યા હતા. આ પરિવારે કારની અંદર જ ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણેયના મોત થયા હતા. આ અંગે એક સ્થાનિકે પોલીસને જાણ કરી હતી કે, રસ્તા પર પાર્ક કરાયેલી કારમાં ત્રણ ડેડબોડી પડી છે.આ અંગેની માહિતી મળતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ત્રણેય મૃત હાલતમાં હતા. મૃતદેહોને પીએમ માટે મોકલી આપીને પોલીસે શા માટે આખાય પરિવારે આપઘાત કર્યો તેની તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે. પોલીસને મળેલી માહિતી અનુસાર, મૃતક વિક્રમ ત્રિવેદીને કલર કામનો બિઝનેસ હતો.મકરપુરામાં રહેતો ત્રિવેદી પરિવાર ખાધેપીધે પણ સુખી હતો. પોલીસને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે, વિક્રમભાઈને આર્થિક સંકડાશ હોય તેવી નક્કર કડી નથી મળી. વળી, પરિવારમાં કોઈ કંકાસ પણ નહોતો. પોલીસે હાલ મૃતકોના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી છે. મૃતકનો એક ભાઈ ઓસ્ટ્રેલિયા, જ્યારે બીજો હૈદરાબાદ રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here