Monday, September 14, 2026
HomeGujaratસ્મીમેરના NICUમાંથી નવજાતને માતા ગેટ પર મૂકી જતા બાળકનું મોત

સ્મીમેરના NICUમાંથી નવજાતને માતા ગેટ પર મૂકી જતા બાળકનું મોત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

સુરત: સુરતમાં ફરી કળિયુગી માતાની મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના સ્મીમેર હોસ્પિટલના ગેટ આગળ નવજાત બાળકને તરછોડીને માતા ફરાર થઈ ગઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં બાળકીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.સુરતની સ્મીમેરમાં નવજાત બાળકને તેની જ માતા NICU વોર્ડમાંથી બહાર લઈ જઈ ગેટ પર મૂકી આવી હતી. ત્યારબાદ બાળક વોર્ડમાં ન હોવાની જાણ થતા સ્મીમેર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, ત્યારબાદ CCTV ચેક કર્યા તો નવજાત બાળકની માતા જ તેને લઈને બહાર જતી નજરે પડી હતી. બાદમાં ગેટ પર જ બાળકને તરછોડીને જતી રહી હતી. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની સ્વીમેર હોસ્પિટલમાં શનિવારે મધરાત્રીએ બનેલી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. અમરોલીમાં રહેતા લક્ષ્મણ વર્માની પત્નીની ગત 12 નવેમ્બરે સ્મીમેરમાં ડિલિવરી થઈ હતી. નવજાતનું વજન ઓછું હોવાથી તેને NICU વોર્ડમાં મુકવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણસર શનિવારે મધરાત્રે માતા આરતી NICU વોર્ડમાંથી નવજાતને લઈને હોસ્પિટલનાં ગેટ પર જ મૂકી પાછી આવી ગઈ હતી. ત્યારબાદ સોમવારે નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.સૌથી પહેલા તો વોર્ડમાં નવજાત ન દેખાતા દોડધામ મચી ગઈ હતી. પછી સીસીટીવીના આધારે માતા જ લઈ બહાર નીકળી ગઈ હોવાની જાણ થઈ હતી. નવજાતને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. મંગળવારે નવજાતનું મોત નીપજ્યું હતું. આરતીની માનસિક હાલત એકાદ અઠવાડિયાથી ઠીક ન હોવાથી તે પોતાના બાળકને લઇ હોસ્પિટલ બહાર મૂકી આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here