Friday, June 5, 2026
HomeAhmedabadહેવી બ્રિડિંગ મળતાં મેટ્રો અધિકારીઓને દંડ

હેવી બ્રિડિંગ મળતાં મેટ્રો અધિકારીઓને દંડ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વાસણાથી ચાંદખેડા રૂટમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટ બેઝમેન્ટોમાં પાણી ભરાઈ ગયું

અમદાવાદ, તા.૨૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરિયા વિભાગે આજે વિશ્વ મચ્છરદિન નિમિત્તે મચ્છરોના બ્રિડિંગને લઈ સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન અમદાવાદ મેટ્રોના વાસણાથી ચાંદખેડા રૂટમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ. જેને પગલે મેલેરિયા વિભાગે મેટ્રોને ૩ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટોના બેઝમેન્ટમાં વધુ પ્રમાણમા પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. આ પહેલા પણ અમ્યુકો તંત્ર દ્વારા બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઇ સુધારો થયો નહોતો. જેના કારણે, આ વખતના તપાસ અભિયાનમાં હેવી બ્રિડિંગ મળતાં અમ્યુકોએ આકરૂં વલણ અપનાવી મેટ્રો રેલ સત્તાધીશોને ત્રણ લાખનો સબક સમાન દંડ ફટકાર્યો હતો.અમ્યુકોની મચ્છરોને લઇ શહેરભરમાં ચાલી રહેલી ડ્રાઇવને લઇ પાણીનો ભરાવો થતો હોય તેવા સ્થળોએ સંબંધિત તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અમ્યુકોની આ ડ્રાઇવ વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો પણ ગંભીર રીતે વકર્યો છે. ખાસ કરીને મેલેરિયા-ડેંગ્યુના ૬૦૦થી વધુ કેસ નોંધાયા છે. વરસાદી માહોલ બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતાં અમ્યુકોનું આરોગ્યવિભાગ અને તંત્ર દોડતુ થઇ ગયુ હતું. જેમાં છેલ્લા ૧૭ દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળાના ૬૦૦થી વધુ લોકો ભોગ બન્યા છે. જેમાં ૭૮ જેટલા દર્દીઓ તો ડેંગ્યુના નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના ૪૯૫ અને ઝેરી મેલેરિયાના ૨૫ કેસો નોંધાયા હતા. તમેડ ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો હતો. આમ, શહેરમાં રોગચાળો નાગરિકોને ભરડામાં લઇ રહ્યા હોઇ સરકારી અને અમ્યુકો સંચાલિત હોસ્પટલોમાં પણ દર્દીઓ અને કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here