દેશમાં એક દિવસમાં 94 હજાર નવા કેસ, બિહારમાં સંશોધન બાદ મોતનો આંકડો 6,000ને પાર

0
11
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં કુલ 3,59,676 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યો, એક્ટિવ કેસ ઘટીને 12 લાખથી નીચે આવી ગયા છે

કોરોના વાયરસની બીજી લહેર (Corona Second Wave)નો કહેર હવે ધીમો પડતો હોય એવું લાગી રહ્યું છે. સંક્રમણના કેસો સતત એક લાખથી વધુ નોંધાતા દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ગુરુવારે જાહેર થયેલા મૃત્યુના આંકડાઓએ (Covid-19 Deaths) ચિંતા વધારી દીધી. દેશમાં એક જ દિવસમાં 6,000થી વધુ દર્દીઓના મોતનો આંકડો સામે આવ્યો છે. નોંધનીય છે કે આજે જાહેર થયેલા મૃત્યુઆંકમાં બિહાર (Bihar)ના બેકલોગ 3951 મૃત્યુના આંકડાનો પણ સમાવેશ થાય છે. આમ, એક જ દિવસમાં મૃત્યુ પામનારા લોકોના જાહેર થયેલા આંકડામાં આજે રેકોર્ડ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 94,052 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 6148 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 76 લાખ 55 હજાર 493 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,51,367 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 11,67,952 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,59,676 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ગુરૂવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 જૂન, 2021 સુધીમાં ભારતમાં કુલ 37,21,98,253 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના 24 કલાકમાં 20,04,690 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.