Tuesday, September 1, 2026
Homenationalદેશમાં એક દિવસમાં 94 હજાર નવા કેસ, બિહારમાં સંશોધન બાદ મોતનો આંકડો...

દેશમાં એક દિવસમાં 94 હજાર નવા કેસ, બિહારમાં સંશોધન બાદ મોતનો આંકડો 6,000ને પાર

Date:

Related stories

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં કુલ 3,59,676 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યો, એક્ટિવ કેસ ઘટીને 12 લાખથી નીચે આવી ગયા છે

કોરોના વાયરસની બીજી લહેર (Corona Second Wave)નો કહેર હવે ધીમો પડતો હોય એવું લાગી રહ્યું છે. સંક્રમણના કેસો સતત એક લાખથી વધુ નોંધાતા દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ગુરુવારે જાહેર થયેલા મૃત્યુના આંકડાઓએ (Covid-19 Deaths) ચિંતા વધારી દીધી. દેશમાં એક જ દિવસમાં 6,000થી વધુ દર્દીઓના મોતનો આંકડો સામે આવ્યો છે. નોંધનીય છે કે આજે જાહેર થયેલા મૃત્યુઆંકમાં બિહાર (Bihar)ના બેકલોગ 3951 મૃત્યુના આંકડાનો પણ સમાવેશ થાય છે. આમ, એક જ દિવસમાં મૃત્યુ પામનારા લોકોના જાહેર થયેલા આંકડામાં આજે રેકોર્ડ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 94,052 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 6148 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 76 લાખ 55 હજાર 493 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,51,367 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 11,67,952 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,59,676 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ગુરૂવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 જૂન, 2021 સુધીમાં ભારતમાં કુલ 37,21,98,253 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના 24 કલાકમાં 20,04,690 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here