Tuesday, July 21, 2026
Homenationalચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવો

ચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવો

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણી એક ટંક ઉપવાસ કરીને કરવાની હાકલ ખેડૂતોએ બુધવારે કરી હતી.ખેડૂતલક્ષી નીતિઓ માટે લોકપ્રિય નેતા ચૌધરીની સમાધી ‘કિસાન ઘાટ’ પર વહેલી સવારથી અનેક ખેડૂતોએ આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ અહીં રોકાતા નથી, પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તુરંત જતા રહે છે.કિસાન દિવસની ઉજવણીના પ્રસંગે ગાઝીપુર બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવન કર્યો હતો. ખેડૂતોનાનેતા કે. એસ. સંધુુએ જણાવ્યું હતું કે મંગળવારે પંજાબના ૩૨ ખેડૂત યુનિયનોએ હવે શું કરવું એ વિશે ચર્ચા કરી હતી.ટૂંક સમયમાં દેશભરના ૪૦ ખેડૂત યુનિયનો સાથે ચર્ચા કરીને સરકારની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.કેન્દ્રના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગરવાલે રવિવારે આંદોલન કરી રહેલા ખેડૂત યુનિયનોને પત્ર લખીને સરકારે અગાઉ લખેલા પત્રમાં કરેલા પ્રસ્તાવ મામલે એમનો વાંધો જણાવવાની અને ચર્ચા માટે તારીખ આપવાની વાત કહી હતી.કૃષિ પ્રધાન તોમરે પણ મંગળવારે જણાવ્યું હતું કે આશા છે કે ખેડૂતો અંદરોઅંદર ચર્ચા કરીને સરકાર સાથે વાતચીત કરવા ટૂંક સમયમાં આગળ આવશે.દરમિયાન દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને લીધે ટ્રાફિક જામ રહ્યો હતો અને કોર્ટની ટકોર છતાં ખેડૂતોને કારણે સામાન્ય જનતાને હેરાન થવું પડે છે.ખેડૂતોએ હવે ૨૩-૨૬ ડિસેમ્બર સુધી શહીદી દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here