Saturday, April 19, 2025
HomeSpecialઆજે વિશ્વ ચકલી દિવસ

આજે વિશ્વ ચકલી દિવસ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ચકલી એટલે નાના બાળકોનું મનગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે. એ જ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે. આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. વર્ષ 2010માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે. ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરના રેડિએશન પણ ચકલીઓના મોતનું કારણ છે. ચકલી બચાવો અને ચકલી સંરક્ષણ ઝુંબેશને સમર્થનના ભાગ રૂપે ચકલીને 2012માં દિલ્લીનું અને 2013માં બિહારનું રાજ્ય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું.વૈજ્ઞાનિકો અનુસાર, ચકલીઓની આશરે 43 જાતિઓ છે. છેલ્લા થોડા વર્ષોમાં 60 થી 80 ટકા ઘટાડો થયો છે ચકલીઓ સામાન્ય રીતે કલાક દીઠ 38 કિમીની ઝડપે ઉડે છે. પરંતુ મુશ્કેલીના સમયે તેઓ કલાક દીઠ 50 કિમી ઝડપે ઉડી શકે છે. 1950 ના અંતે, ચિની સરકાર દ્વારા લાખો ચકલીઓની હત્યાનું અભિયાન શરૂ કર્યું હતું કારણ કે ચકલીઓ ખાદ્ય પાકને નુકસાન પહોંચાડતી હતી પરંતુ ઝુંબેશ પરિણામો અંત ઉલટો જ આવ્યો, કારણ કે ચાઇનામાં લાખો ચકલીઓની હત્યા બાદ  જંતુઓનો મોટી સંખ્યામાં વધારો થયો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.ચકલીના બહુ જ ઓછા ઈંડામાં માતાપિતા બંનેના ડીએનએ હોય છે. તેમાંના મોટાભાગના માત્ર તેમની માતાના ડીએનએ ધરાવે છે.સરેરાશ, માદા ચકલી દર વર્ષે 3 થી 5 ઇંડા આપે છે. 12 થી 15 દિવસ પછી ઇંડામાંથી એક ચકલી જન્મ લે છે.જંગલી ચકલી સરેરાશ 4 થી 5 વર્ષ સુધી જીવે છે. જોકે, ડેનમાર્કમાં એક જંગલી ચકલી 19 વર્ષ અને 9 મહિના સુધી જીવતી રહી હતી, તે એક જંગલી ચકલી માટે વર્લ્ડ રેકોર્ડ છે. પાંજરામાં પૂરેલ પાલતુ ચકલી સરેરાશ 12 થી 14 વર્ષ જીવે છે.  પરંતુ એક ચકલીનો ૨૩ વર્ષ સુધીનો રેકોર્ડ છે.સામાન્ય રીતે જમીન પર સીધા ચાલવાને બદલે ચકલીઓ ઉછળે છે. ચકલીઓ ઓછી થવાનું એક સૌથી મોટું કારણ છે મોબાઈલ ટાવરનું રેડિએશન, કેમ કે સામાન્ય રીતે ૧૨ થી ૧૫ દિવસમાં ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે, પરંતુ મોબાઇલ ટાવરની પાસે ૩૦ દિવસ સુધી પણ બચ્ચા બહાર નથી આવતા.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here