Sunday, April 20, 2025
HomeBusinessકોરોનાની ત્રીજી લહેર: શેરબજારની તેજીની સોનાની માગ પર અસર થશે, તહેવારો તથા...

કોરોનાની ત્રીજી લહેર: શેરબજારની તેજીની સોનાની માગ પર અસર થશે, તહેવારો તથા લગ્નસરાની માગ નબળી રહેવાની ગણતરીએ ટ્રેડરો આયાત માટે નિરૂત્સાહી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઈ : વર્તમાન વર્ષના માર્ચ તથા એપ્રિલમાં ગોલ્ડ આયાતનો આંક ઊંચો રહ્યા બાદ મેમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આવનારા મહિનાઓમાં પણ  આયાત નીચી રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને કારણે ટ્રેડરો ગોલ્ડની આયાત કરવા ખાસ ઉત્સુક નહીં હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.દેશમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવવાની શકયતા જોવાઈ રહી છે અને આ બે મહિના ભારતમાં તહેવારોના મહિના  રહે છે. દેશમાં તહેવારો તથા લગ્નસરાની મોસમ માટે ટ્રેડરો સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટમાં ગોલ્ડની આયાત કરીને સ્ટોકસ કરી લેતા હોય છે.કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરને કારણે પણ ગ્રાહકોની ખરીદશક્તિમાં આ વર્ષે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી તહેવારો તથા લગ્નસરાની મોસમ માટે સોનાની માગ નીકળવાની અપેક્ષા રખાતી નથી એમ સુત્રોએ જણાવ્યું હતું.વર્તમાન વર્ષના માર્ચમાં ૮.૪૦ અબજ ડોલર તથા એપ્રિલમાં ૬.૩૦ અબજ ડોલર રહ્યા બાદ ગોલ્ડ આયાત આંક મેમાં  ઘટી માત્ર ૦.૬૦ અબજ ડોલર રહ્યો હતો.કોરોનાની મહામારીને કારણે સતત બીજા વર્ષે પણ આર્થિક મંદી, રોજગાર તથા પગારમાં કાપ જેવા કારણોસર ગોલ્ડની માગ પર અસર પડી રહી છે. શહેરી મધ્યમ વર્ગ તરફથી ગોલ્ડની માગમાં જોરદાર ઘટાડો થયો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગોલ્ડની આયાત ૨૨.૫૮ ટકા વધી ૩૪.૬૦ અબજ ડોલર રહી હતી.  ગોલ્ડની માગમાં ઘટાડો થવાનું અન્ય અક કારણ શેરબજારની તેજી પણ રહેલું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં દસ ગ્રામના રૂપિયા ૫૭૦૦૦ સુધી ગયા બાદ ગોલ્ડના ભાવ હાલમાં ટોચની સપાટીએથી ૧૫ ટકાથી વધુ તૂટી ગયા છે, જ્યારે શેરબજારમાં નોધપાત્ર ઉછાળો જોવાયો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here