Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadરથયાત્રા :ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજમંદિર ખાતે મામેરું

રથયાત્રા :ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજમંદિર ખાતે મામેરું

Date:

spot_img

Related stories

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...
spot_img

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજમંદિરનું મામેરું પાથરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથ અલગ અલગ પરંપરાગત વેશમાં જોવા મળશે. શનિવારે અમાસના દિવસે ભગવાન નિજમંદિરે પરત આવે ત્યારથી રથયાત્રા અને ત્રીજ સુધીના ત્રણેય ભાઈ-બહેનના વાઘા, અલંકારોનાં દર્શન મંદિરમાં યોજાયાં છે. નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતેગાજતે ભગવાનનું મામેરું લઈને મંદિરમાં પહોંચ્યા છે.ભગવાન જગન્નાથ સહિત ત્રણેય ભાઈ-બહેનના યજમાનમાં અમાસના અરવિંદભાઈ, એકમના દિવસના પ્રતાપભાઈ ઠાકોર, મંગળા આરતીના ભૂષણ ભટ્ટ અને અષાઢી બીજના નિખિલ ને ગણેશભાઈ રાવલ, જ્યારે ત્રીજના યજમાન પરિંદુ ભગત છે. ગત વર્ષે કોરોનાને કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી ન હતી, પરંતુ આ વર્ષે ભગવાનની રથયાત્રા ચોક્ક્સ નીકળશે એવી આશા લોકોમાં અને યજમાનોમાં છે. સરસપુર હોય કે મંદિરના યજમાન, તમામ લોકો આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે, એવી આશા સાથે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગમાં છે. રથયાત્રાના યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા હતા. મહારાષ્ટ્રિયન પાઘડી, વાઘા અને અલંકારો વગેરે જમાલપુર મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલા મામેરાનાં દર્શન લોકોએ કર્યાં હતાં.ગુજરાત સરકારે કેબિનેટ બેઠક અને કોર કમિટીની બેઠકમાં અમદાવાદની રથયાત્રા અંગેના આયોજનને લગતું વ્યવસ્થાપન આખરી કરી દીધું છે, જોકે આ અંગેની જાહેરાત કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ ઉતાવળ નહીં કરે. સરકારનાં સૂત્રો અનુસાર, આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી રથયાત્રાના આગલા દિવસે, એટલે કે રવિવારે સાંજે જગન્નાથ મંદિરની મુલાકાત લઈને એ જ વખતે કરશે. રથયાત્રા બાબતે બુધવારની કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત અત્યારથી કરી દેવાય તો એની વિરુદ્ધ કોર્ટમાં પિટિશન થાય તો કાયદાકીય ગૂંચમાં પડીને આખો મામલો ખેંચાઈ જાય. એને બદલે એક દિવસ અગાઉ નિર્ણય જાહેર થાય તો એ અંગેની કોઇ તક રહે નહીં.

50 વર્ષે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પરિવારની મામેરાની ઈચ્છા પૂરી થઈ.

50 વર્ષે મામેરું કરવાની ઈચ્છા પૂરી થઈ
મામેરું કરનારા યજમાન મહેશભાઈ ઠાકોરે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વર્ષોથી સરસપુરમાં રહેતા હતા. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે અમને મામેરું કરવાની ઈચ્છા થતી હતી. છેલ્લાં 50 વર્ષથી મારા પિતા પ્રયત્ન કરતા હતા. મંદિરના ટ્રસ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને મામેરા માટે નામ આપેલું હતું, પરંતુ છેલ્લાં 4-5 વર્ષથી ચિઠ્ઠીઓ ઉછાળીને નામ પસંદ કરવામાં આવતું હતું, જેમાં આ વર્ષે અમારું નામ ખૂલ્યું હતું. મામેરું કરવા મળશે એવી વાત સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા હતા.

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here