જગન્નાથ રથયાત્રા : અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદિર પહોંચ્યા

0
16
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રી સંપન્ન થઈ છે. રથ નિજમંદિર પરત ફર્યા છે. નિર્વિઘ્ને રથયાત્રી સંપન્ન થઈ છે. માત્ર ત્રણ કલાક 40 મિનિટમાં રથયાત્રી પૂરી થઈ. પોલિસના તમામ ઉચ્ચ અધિકારીઓ ખડેપગે રહ્યા હતા. મંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્યો સહિત અનેક નેતાઓ પૂજાવિધિ માં જોડાયા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ યાત્રા.મંત્રી યોગેશ પટેલ એ વ્યક્ત કર્યું, કરફ્યુ માં ભગવાન જગન્નાથ ની રથયાત્રા યોજાઈ તેનું દુઃખ, કહ્યું ભગવાન 2 કલ્લાક વરસાદ રોકે તેવી પ્રાર્થના.મેયર કેયુર રોકડીયા એ શહેરીજનો ને ઘરેજ સોસિયીયલ મીડિયા માં ભગવાન ના દર્શન કરવા આગ્રહ કર્યો.પોલીસ કમિશ્નર સમશેરસિંહ એ કરફ્યુમાં લોકોએ કરેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.રથયાત્રામાં સૌથી આગળ પોલીસના વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રાયપુર ચાર રસ્તા કે જ્યાં રથયાત્રા પહોંચે તે પહેલાં માનવ મહેરામણ ઉમટતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે. સરસપુરમાં રથયાત્રાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જાડેજાએ સ્વાગત કર્યું. 
રથયાત્રાએ સરસપુરથી પ્રસ્થાન કર્યું. લાખો લોકો ઘરમાં બેસીને ભગાવનના દર્શન કરી રહ્યા છે.
સંપૂર્ણ સાવચેતી સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને ભક્તો વગર જ નીકળી છે. ત્યારે જનતામાં પણ કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.