Sunday, April 20, 2025
HomeGujaratરાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો..

રાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો..

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

રાજકોટ: રાજકોટ ના રાજવી પરિવારનો મિલકતનો વિવાદ વકર્યો છે. બહેન બાદ હવે ભત્રીજાએ રાજકોટના રાજવી માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ વીલ મામલે ન્યાયની માંગ કરી છે. મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. તેમણે વડીલોપાર્જિત મિલકતની વહેંચણી ન કરાઈ હોવાનો આરોપ કર્યો છે. આ મિલકતોમાં 11 મિલકતો કે જેમાં 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. દાવામાં માધાપરની મિલકતનો ખાસ ઉલ્લેખ કરાયો છે. રાજકોટના રાજવી હાલ મિલકત વિવાદમાં ગૂંચવાયા છે. તેમના બહેન અંબાલિકા દેવી બાદ ભત્રીજાએ માંધાતા સિંહ સામે દાવો માંડ્યો છે. રાજકોટના રાજવી સ્વ.પ્રદ્યુમનસિંહના પૌત્ર રણસૂરવીર સિંહ જાડેજાએ વિલને લઈ ન્યાય માંગ્યો છે. વડીલોપાર્જીત મિલકતો વહેંચણી યોગ્ય રીતે ન થઈ હોઈ અને તમામ મિલકત માંધાતાસિંહના નામે થઈ હોવાનો આક્ષેપ રણશૂરવીરસિંહ જાડેજાએ કર્યો છે. મિલકતનો પ્રાંત અધિકારીની કોર્ટમાં ચુકાદો આવી ગયો છે. મનોહરસિંહજીએ કરેલી વસિયતને સિવિલ કોર્ટમાં પડકારાઈ છે. હવે રણશૂરવીરસિંહ જાડેજાએ રાજકોટના રાજપરિવારની મિલકતમાં પોતાનો હિસ્સો માંગ્યો છે. અગાઉ મિલકત વિવાદમાં 11 મિલકતો સામેલ હતી, જેમા 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા, માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો સમાવેશ થયો હતો. પરંતુ હવે જે મિલકતોનો ઉલ્લેખ નથી, તેના માટે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વડીલોપાર્જીત મિલ્કતનું વિલ કરવાનો નથી અધિકાર !
કોઈ પણ વ્યક્તિને સ્વપાર્જીત મિલ્કતોનું વિલ કરવાનો હક્ક છે. પરંતુ વડિલોપાર્જીત મિલ્કતોમાં તમામ વારસોનો સમાન હક્ક લાગે છે. જેથી પૂર્વજોની મિલ્કતોનું વિલ કરવાનો હક્ક સ્વ. મનોહરસિંહ જાડેજા(દાદા)ને પણ નથી એ મતલબની દલીલ સાથે એ વસિયતને જ પડકારીને પેલેસ રોડ પર આવેલ રાજમહેલના રાચરચિલા, વિન્ટેજ કાર, ચાંદીના રથ, હથિયારો, આભૂષણો, ગાદલા-ગોદળા સહિતની વસ્તુમાં હિસ્સો માંગવામાં આવ્યો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here