Friday, June 5, 2026
HomeSpecialPM Kisan Samman Nidhi: મોદી સરકાર નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં...

PM Kisan Samman Nidhi: મોદી સરકાર નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે 20,000 કરોડ રૂપિયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી. PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2022ના રોજ 10 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારના ખાતામાં 20,000 રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરશે. શનિવારે પીએમ મોદી પીએમ કિસાન સન્માન નિધિઅંતર્ગત 10મો હપ્તો જાહેર કરશે. જોકે, આ દરમિયાન આશરે બે કરોડ ખેડૂતો માટે માઠા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2 કરોડથી વધારે ખેડૂતોને નવા વર્ષે બે હજારનો હપ્તો મળવામાં મોડું થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નાના તેમજ સીમાંત ખેડૂતોની આવક વધે અને જીવનધોરણ સુધરે તે માટે સરકારે દેશભરમાં ખેડૂતોને વાર્ષિક રૂ.6000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જમા કરવામાં આવે છે.સરકાર 10 કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આવેલી માહિતી પ્રમાણે 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે. એટલે કે બે કરોડથી વધારે ખેડૂતોએ રકમ માટે રાહ જોવી પડશે. તેમણે પોતાનું નામ ચેક કરવું પડશે.પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત પરિવારને વર્ષે 6,000 રૂપિયા મળે છે. આ છ હજાર રૂપિયા 2,000 રૂપિયાના ત્રણ સમાન ચાર મહિનાના હપ્તામાં વહેંચી દેવામાં આવે છે. આ રકમ લાભાર્થી ખેડૂતના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારસુધી લાભાર્થી ખેડૂતોને 1.6 લાખ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન આશરે 351 જેટલા ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયા જેટલી ઇક્વિટી ગ્રાન્ટ પણ આપશે. જેનાથી 1.24 લાખથી વધારે ખેડૂતોને લાભ થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન FPO સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને પણ સંબંધોન કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પણ હાજર રહેશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here