Tuesday, March 10, 2026
Homenationalએલઆઈસીના આઈપીઓને 'સુપરહીટ' બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

એલઆઈસીના આઈપીઓને ‘સુપરહીટ’ બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

મુંબઇ: લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)ની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને વધારે સરળ બનાવવવા માટે કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ, FDI પૉલિસીમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ છઠ્ઠી જાન્યુઆરીના રોજ આ માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી અનુરાગ જૈને (Anurag Jain) કહ્યુ કે, ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે જોડાયેલી વર્તમાન FDI પૉલિસી LICની ઇસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સરળ નહીં બનાવે. આ માટે તેમા સંશોધન કે સુધારો કરવાની જરૂર છે.

અનુરાગ જૈને કહ્યુ કે, “અમે FDI પૉલિસીને વધારે સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોવાથી આ પૉલિસીમાં તાત્કાલિક બદલાવની જરૂરિયાત છે. આને ધ્યાનમાં રાખીને અમે સુધારેલી FDI પૉલિસી લાવી રહ્યા છીએ, જે એલઆઈસીની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા વધારે સરળ બનાવશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS) અને ડિપાર્ટમેન્ટ ઑફ ઇનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ (DIPAM) સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

જૈને વધુમાં જણાવ્યુ કે, “અમારા સ્તર પર હજુ સુધી બે વખત ચર્ચા થઈ ચૂકી છે. ત્રણેય વિભાગે આ વાતને લઈને સહમતિ દર્શાવી છે. અમે FDI પૉલિસીમાં જરૂરી ફેરફાર માટે કોન્ટ્રાક્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છીએ, તેને મંજૂરી માટે મંત્રીમંડળ પાસે મોકલવામાં આવશે.”વર્તમાન FDI પૉલિસી પ્રમાણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 74% સુધી વિદેશી રોકાણની મંજૂરી છે. જોકે, આ નિયમ એલઆઈસીને લાગૂ નથી પડતો. કારણ કે એલઆઈસીની સ્થાપના સંસદમાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે. યૂનિયન કેબિનેટે ગત જુલાઈમાં LIC નો આઈપીઓ લાવવાની મંજૂરી આપી હતી. સરકારની યોજના 31 માર્ચ, 2022 પહેલા એલઆઈસીનો આઈપીઓ લાવવાની છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here