Monday, April 21, 2025
HomeGujaratસુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો,...

સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરત: શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતાં 45 વર્ષનાં રમેશ મહાજનનું કરૂણ મોત નીપજ્યું છે. ડમ્પરે બાઇક ચાલકને આશરે 200 મીટર સુધી ઢસડ્યો હતો. જે બાદ આસપાસના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારે પણ પોતાનો વ્હાલસોયો ખોતા ભારે રોષ વ્યક્ત કરીને મૃતકના મૃતદેહ સાથે જ રસ્તા પર બેસી ગયા હતા. આ કેસમાં ડિંડોલી પોલીસે પરિવાર અને અન્ય લોકોને સમજાવ્યા હતા. ડિંડોલી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી બસ સ્ટેન્ડની સામે અને શાકભાજીના માર્કેટ નજીક ત્રણ રસ્તા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.ડમ્પર ચાલકે બાઇક ચાલકને આશરે 200 મીટર સુધી ઘસડી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.તપાસ કરતા સામે આવ્યું કે, મૃતકનું નામ રમેશ મહાજન છે અને તે 45 વર્ષના છે. તેઓ ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હતા. સામાન્ય રીતે સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી શહેરની અંદર મોટા વાહનો પર પ્રતિબંધ હોય છે. તો આ વાહન સવારે 9 વાગ્યા બાદ શહેરમાં કેમ ફરતું હતું તે પર તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here