Friday, May 2, 2025
HomeGujaratરાજ્યના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને કોરોના વેક્સિન આપવામાં આવે તેવી સંભાવના

રાજ્યના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને કોરોના વેક્સિન આપવામાં આવે તેવી સંભાવના

Date:

spot_img

Related stories

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...
spot_img

દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને કોરોના વેક્સિન આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વેક્સિન ટ્રાયલ બેઝ પર આપવામાં આવશે. વિવિધ પ્રાણી સંગ્રહાલયો પૈકી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગની પસંદગી કરવામાં આવી છે. દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોના સંચાલકોને કેન્દ્રીય મંત્રાલયમાં પત્ર લખવામાં આવ્યો છે. આ પ્રાણીઓને કોરોના સંક્રમણ થાય નહીં તેની તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.  રાજ્યના વન વિભાગના મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું હતું કે આવી કોઇ સૂચના આવી હોય તે અંગે વન વિભાગને હજી સુધી કોઇ જાણ થઇ નથી.સચિવાલયના સૂત્રો કહે છે કે પ્રાણી સંગ્રહાલયોમાં કોરોના વેક્સિન આપવાની છે કે કેમ તે અંગે રાજ્યના વાઇલ્ડલાઇફ અને વન વિભાગની મંજૂરી લેવાની બાકી છે. આ મંજૂરી મળ્યા પછી કોરોના વેક્સિનનો ટ્રાયલ પ્રાણીઓ પર થઇ શકશે. અમેરિકા સ્થિત ન્યૂયોર્કના પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘને કોરોના વાયરસ થતાં થોડાં સમય પહેલાં વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવતા પ્રાણીઓની સુરક્ષા માટે વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે અને પ્રાણીઓના વિસ્તારોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. એવી જ રીતે જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.અમેરિકા પછી ભારતના હૈદરાબાદ અને ચેન્નાઇમાં સિંહ અને વાઘ સહિતના જંગલી પ્રાણીઓમાં કોરોના પોઝિટીવ મળી આવ્યા પછી કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયે ટ્રાયલ બેઝ વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. હિસાર સ્થિત આઇસીએઆર-નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વિન્સને પ્રાણીઓ માટેની વેક્સિન વિકસિત કરવાનું કહેવામાં આવ્યું છે.

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here