Tuesday, April 22, 2025
HomeGujarat'બિન સચિવાલય જ બેવફા છે,' પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની વ્યથા

‘બિન સચિવાલય જ બેવફા છે,’ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની વ્યથા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અત્યારે જો કોઈ અમને પૂછે કે, બેવફા કોણ છે તો ચોક્કસથી કહીશ કે બિન સચિવાલય જ બેવફા છે.  આ વ્યથા છે એ 10 લાખથી વધુ ઉમેદવારઓની જેઓ બિનસચિવલયની ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ પરીક્ષા છે કે, વારંવાર રદ થઈ રહી છે. જેને લઈને ઉમેદવારો નિરાશ થઈ ગયા છે. ગૌણ સેવા પસંદગી દ્વારા આગામી 13 ફેબ્રુઆરીએ લેવાનાર બિનસચિવલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાના સમાચાર સાંભળતા સરકાર ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારઓને આશા ફરી ઠગારી નીવડી છે.ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની અને ઓફિસ આસિસ્ટન્ટની 3 હજાર 900 જગ્યાઓ પર ભરતી માટે 10 લાખથી વધુ યુવાનો પરીક્ષા આપવાના હતા. બે મહિના અગાઉ 13 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પણ અચાનક આ પરીક્ષા રદ થતા ઉમેદવારનું મનોબળ ભાંગી પડ્યું છે.ઉમેદવારોએ ન્યૂઝ  18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ત્રણ ચાર મહિનાથી વતનથી અહીંયા અમદાવાદમાં તૈયારીઓ માટે આવી ગયા છીએ. ભાડે 10 હજાર રૂપિયા ખર્ચીને રહી રહ્યા છીએ. અચાનક ખબર પડે કે, પરીક્ષા રદ છે એટલે અમારે શુ કરવું તે સમજાતું નથી. અને આ પહેલીવાર નહી અગાઉ અનકેવાર બની ચૂક્યું છે. હવે તો અમને લાગે છે કે, અત્યારે જો કોઈ અમને પૂછે કે, બેવફા કોણ છે, તો ચોક્કસથી કહીશ કે બિન સચિવાલય જ બેવફા છે.તેમણે વધુમાં કહ્યું કે, અમારી તો મજાક પણ જોક્સ રૂપે બની ગઈ છે કે, એકવાર ભગવાન ઉમેદવારને પૂછ્યું કે, તારે ક્યાં સુધી જીવવું છે ત્યારે ઉમેદવાર કહે કે મારે બિનસચિવાલયની પરીક્ષા લેવાય જાય ત્યાં સુધી જીવવું છે. ત્યારે ભગવાન તેને કહે છે કે, એટલે તારે અમર થઈ જવું છે એમ ને.વિધાર્થીઓ એમ પણ કહી રહ્યા છે કે, આ અગાઉ હેડકલાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું અને પછી હવે આ પરીક્ષા રદ થઈ એટલે એવું લાગે છે કે આ સરકારમાં મેનેજમેન્ટ જેવું કશું રહ્યું નથી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here