Wednesday, August 5, 2026
HomeGujaratજૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય...

જૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય મંદિરમાં ભક્તોના પગરખા પોલીશ કર્યા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જગપ્રસિદ્ધ અને ગુજરાતના મીની દ્વારકા તરીકે ખ્યાતિ પામેલા કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોરમાં રોજબરોજ હજારો લોકો દર્શને આવે છે. અહીંયા એક શિખ ભક્તની અનોખી ભક્તિથી સમગ્ર ડાકોર મહેંક્યું છે. ગુરુદ્વારામાં ચાલતી પગરખાને પોલીશ કરવાની સેવાને એક શીખ બંધુએ રાજા રણછોડજીના દરબારમાં આપી ધન્યતા અનુભવી છે.દેશની રાજધાની દિલ્હીમાં વસવાટ કરતા સુંદરભાઈ મોહનભાઈ પંજાબી નામના ભાવિક ભક્ત પંજાબના ગુરૂદ્વારાના દર્શન કરવા જાય ત્યારે ભાવીકોના બુટ તથા ચંપલને પોલિશ કરવાની સેવા આપે છે. આમ તેઓ શ્રદ્ધા અને અનન્ય લાગણીથી ત્યાં દરેક ભાવિક ભક્તોના જૂતા સાફ કરી એક સેવાનું કામ કરી રહ્યા છે.કોરોનાના બે વર્ષના સમય પછી પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં દર્શન કરવા આ ભક્ત પહોંચ્યા છે. આ ભક્તે અહીંયા પણ મંદિર પરિસરમાં મુકેલા ભાવિક ભક્તોના પગરખાની પોલીશ કરી ધન્યતાના અનુભવી છે. આમ‌‌ સર્વધર્મનો સંદેશ પાઠવી તેમણે સમાજમાં ભક્તિનો મહિમા વર્ણવ્યો છે.શીખ સમાજમાં આ સેવા અનેકો લોકો આપી રહ્યા છે. આ સેવાથી વ્યક્તિનો અહમ અને અહંકાર દૂર થાય છે. ગુરુદ્વારામાં જુતાની બુટ પોલીસ, ડીશ ધોવાની સેવાઓ અનેક લોકો આપતા જોવા મળતા હોય છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here