Thursday, July 16, 2026
HomeGujarat'બિન સચિવાલય જ બેવફા છે,' પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની વ્યથા

‘બિન સચિવાલય જ બેવફા છે,’ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની વ્યથા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અત્યારે જો કોઈ અમને પૂછે કે, બેવફા કોણ છે તો ચોક્કસથી કહીશ કે બિન સચિવાલય જ બેવફા છે.  આ વ્યથા છે એ 10 લાખથી વધુ ઉમેદવારઓની જેઓ બિનસચિવલયની ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ પરીક્ષા છે કે, વારંવાર રદ થઈ રહી છે. જેને લઈને ઉમેદવારો નિરાશ થઈ ગયા છે. ગૌણ સેવા પસંદગી દ્વારા આગામી 13 ફેબ્રુઆરીએ લેવાનાર બિનસચિવલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાના સમાચાર સાંભળતા સરકાર ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારઓને આશા ફરી ઠગારી નીવડી છે.ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની અને ઓફિસ આસિસ્ટન્ટની 3 હજાર 900 જગ્યાઓ પર ભરતી માટે 10 લાખથી વધુ યુવાનો પરીક્ષા આપવાના હતા. બે મહિના અગાઉ 13 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પણ અચાનક આ પરીક્ષા રદ થતા ઉમેદવારનું મનોબળ ભાંગી પડ્યું છે.ઉમેદવારોએ ન્યૂઝ  18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ત્રણ ચાર મહિનાથી વતનથી અહીંયા અમદાવાદમાં તૈયારીઓ માટે આવી ગયા છીએ. ભાડે 10 હજાર રૂપિયા ખર્ચીને રહી રહ્યા છીએ. અચાનક ખબર પડે કે, પરીક્ષા રદ છે એટલે અમારે શુ કરવું તે સમજાતું નથી. અને આ પહેલીવાર નહી અગાઉ અનકેવાર બની ચૂક્યું છે. હવે તો અમને લાગે છે કે, અત્યારે જો કોઈ અમને પૂછે કે, બેવફા કોણ છે, તો ચોક્કસથી કહીશ કે બિન સચિવાલય જ બેવફા છે.તેમણે વધુમાં કહ્યું કે, અમારી તો મજાક પણ જોક્સ રૂપે બની ગઈ છે કે, એકવાર ભગવાન ઉમેદવારને પૂછ્યું કે, તારે ક્યાં સુધી જીવવું છે ત્યારે ઉમેદવાર કહે કે મારે બિનસચિવાલયની પરીક્ષા લેવાય જાય ત્યાં સુધી જીવવું છે. ત્યારે ભગવાન તેને કહે છે કે, એટલે તારે અમર થઈ જવું છે એમ ને.વિધાર્થીઓ એમ પણ કહી રહ્યા છે કે, આ અગાઉ હેડકલાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું અને પછી હવે આ પરીક્ષા રદ થઈ એટલે એવું લાગે છે કે આ સરકારમાં મેનેજમેન્ટ જેવું કશું રહ્યું નથી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here