Wednesday, March 11, 2026
HomeGujaratનરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ છેડો ફાડે, ભાજપને કોઇ ફરક...

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ છેડો ફાડે, ભાજપને કોઇ ફરક પડતો નથી: દિલીપ સંઘાણી

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

અમદાવાદ: ગુજરાતમાં થોડા મહિનાઓ બાદ ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી રાજકારણ ગરમાઇ ચૂક્યું છે. ગુજરાતની મોટી મોટી પાર્ટીઓમાંથી નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના હાર્દિક પટેલે ભાજપની નિર્ણય શક્તિના વખાણ કર્યા છે અને કોંગ્રેસની લીડરશીપ સામે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે આ અંગે ગુજરાત ભાજપના નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક અંગે સૂચક નિવેદન કરતા જણાવ્યુ છે કે, હાર્દિક વિશ્વાસઘાતી છે તેણે પાટીદાર સમાજમાં પહેલા કહ્યુ હતુ કે કોઇપણ પાર્ટીમાં નહીં જોડાય પરંતુ તે કોંગ્રેસમાં જોડાયો, સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને હવે ભાજપના વખાણ કરે છે. તો હાર્દિકને ભાજપમાં લાવવાના પ્રયત્ન થશે કે નહીં તે અંગે તો પાર્ટી જ નક્કી કરશે.કોંગ્રેસના હાર્દિક પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, મને વ્યક્તિગક કોઇનાથી નારાજગી નથી. મને કોંગ્રેસ સ્ટેટ લીડરશીપથી નારાજગી છે. જ્યારે પાર્ટીમાં કોઇ સાચું બોલે છે તો તેને અલગ રીતે જોવામાં આવે છે, કે આ જતો રહેવાનો છે. પાર્ટીમાં કોઇ આવી વાત કરતો હોય ત્યારે તેની સાથે ચર્ચા થવી જોઇએ કે, તે શું વિચારે છે તે શેનાથી નારાજ છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોઇપણ પાર્ટી હોય તેમાંથી કાંઇકને કાંઇક શીખવાનું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય નિર્ણયો તાત્કાલિક લેવાની ક્ષમતા વધારે છે. સાચી વસ્તુનો સ્વીકાર કરવો જરૂરી છે. ગુજરાતમાં કોંગ્રેસને ઉભુ થવું હશે તો નિર્ણય શક્તિની ક્ષમતામાં વધારો કરવો પડશે.હાર્દિક પટેલની વાત બાદ ન્યૂઝ18 ગુજરાતીએ ભાજપના મોટા નેતા દિલીપ સંઘાણી સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, સુર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે. કોંગ્રેસનો નેતા ભાજપના કામ માટે સારી વાત કરે તો એથી વધુ ભાજપને પ્રચાર કરવાની શું જરૂર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ભાજપને કશો જ ફેર પડવાનો નથી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે , આ સાથે સી.આર પાટીલની વ્યવસ્થા અને મોદી સાહેબનો વિશ્વાસ આગામી સમયમાં બીજેપીને વિક્રમજનક બહુમતી અપાવશે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here