Sunday, April 20, 2025
Homenationalઝેરીલુ પાણી, બિહારના ભૂગર્ભ જળમાં યુરેનિયમ મળતા સરકારમાં હડકંપ

ઝેરીલુ પાણી, બિહારના ભૂગર્ભ જળમાં યુરેનિયમ મળતા સરકારમાં હડકંપ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી : ભારતમાં ભૂગર્ભજળ દૂષિત થઈ રહ્યુ હોવાની સમસ્યા વકરી રહી છે.તેમાં પણ બિહારના કેટલાક વિસ્તારમાં તો ભૂગર્ભ જળમાં યુરેનિયમનુ પ્રમાણે નિયત માત્રા કરતા વધારે નોંધાયુ હોવાથી હડકંપ મચી ગયો છે. પાણીમાં ભળી રહેલા યુરેનિયમના અહેવાલો બાદ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે.સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના એકઠા કરીને તેની તપાસ કરવામાં આવી હતી.જેમાં કેટલાક નમૂનામાં લિમિટ કરતા વધારે યુરેનિયમ મળી આવ્યુ છે.આ પ્રકારના પાણીના કારણે હાડકા અને કિડનીના રોગ થવાની સાથે સાથે કેન્સર થવાનુ પણ જોખમ રહેલુ હોય છે. બિહારના ગ્રાઉન્ડ વોટરના કેટલાક નમૂનામાં યુરેનિયમનુ પ્રમાણ 30 પાર્ટ પ્રતિ બિલિયન નોંધાયુ છે.કેટલીક જગ્યાએ આ આંકડો 40 થી50 પર પહોંચ્યો છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કુલ 10 જિલ્લાના પાણીના સેમ્પલ લખનૌ વધારે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે ભારતમાં ભૂગર્ભ જળમાં યુરેનિયમના પ્રમાણ અંગેની કોઈ સચોટ માત્રા હજી સુધી  નક્કી કરવામાં આવી નથી. આ પહેલા બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટી અને મહાવીર કેન્સર ઈન્સ્ટિટ્યુટ દ્વારા થયેલા સ્ટડીમાં પણ 10 જિલ્લાના ભૂગર્ભ જળમાં યુરેનિયમ મળ્યુ હતુ.યુરેનિયમ પાણીમાં જણાયા બાદ હવે બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનુ કહેવુ છે કે, ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિક નામના કેમિકલની તપાસ દરમિયાન યુરેનિયમ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને હવે ગ્રાઉન્ડ વોટર માટે એક ડિટેલ રિસર્ચની જરુર છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here