Sunday, May 25, 2025
HomeWorldUNમાં જયશંકરે કહ્યું- વૈશ્વિક આતંકવાદીઓનો બચાવ કરતું નિવેદન ઉચ્ચારીને સત્ય છુપાવી શકશો...

UNમાં જયશંકરે કહ્યું- વૈશ્વિક આતંકવાદીઓનો બચાવ કરતું નિવેદન ઉચ્ચારીને સત્ય છુપાવી શકશો નહીં

Date:

spot_img

Related stories

કેએફસીની ન્યૂ વેલ્યૂ ઓફર સાથે એપિક ટેસ્ટ અને એપિક...

બધા ચિકન લવર્સને કેએફસી એપિક ઓફરનો લાભ લેવા આમંત્રણ...

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...
spot_img

ન્યુયોર્ક : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 77મા સત્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના બંને દેશો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભારત કોઈપણ સ્વરૂપમાં આતંકવાદને સહન કરશે નહીં. આ માટે ભારત ટૂંક સમયમાં જી-20 અને આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. જયશંકરે વધુમાં કહ્યું- આતંકવાદની તરફેણ કરતા નિવેદન ઉચ્ચારીને કોઈ પોતાના કૃત્યને છુપાવી શકશે નહીં. તેમનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા આર્ટીકલ 370 પર આપવામાં આવેલા નિવેદન બાદ સામે આવ્યું છે. ખરેખરમાં, પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું હતું – જમ્મુ-કાશ્મીરને હિન્દુ પ્રદેશ બનાવવાનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો બદલવા માટે ભારતે 5 ઓગસ્ટ 2019ના રોજ એકપક્ષીય પગલું ભર્યું હતું. ભારતના નિર્ણયથી ઉકેલ વધુ મુશ્કેલ બન્યો છે. યુનાઈટેડ નેશન્સ ગુનેગારો પર પ્રતિબંધો લાદીને આતંકવાદનો જવાબ આપે છે, એમ તેમણે જણાવ્યું હતું. UN સુરક્ષા પરિષદ 1267 સમિતિ (સેન્કશન રેજીમ) આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવે છે. જે દેશે UNSCની 1267 સમિતિનું રાજનીતિકરણ અને સંયુક્ત રાષ્ટ્રમાં જાહેર આતંકવાદીઓનો બચાવ કરે છે તેઓ પોતાના જોખમે આમ કરે છે. આમ કરીને તે પોતાની પ્રતિષ્ઠા સુધારી શકશે નહીં. અહીં તેમના સંકેત ચીન અને પાકિસ્તાન તરફ કર્યા હતા. ચીને અનેક વખત પાકિસ્તાનના આતંકવાદીઓને સિક્યોરિટી કાઉન્સિલની ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં સામેલ કરવા બાબતે રોડા નાંખ્યા છે. એસ જયશંકરે કહ્યું- અમે આતંકવાદને સહન કરીશું નહીં. આતંકવાદ ફેલાવતા અને આતંકવાદીઓને આશ્રય આપતા દેશો સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમના 16 મિનિટના ભાષણની શરૂઆત કરતા તેમણે કહ્યું – હું વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાંથી 1.3 બિલિયન લોકોની શુભેચ્છાઓ સાથે લઈને આવ્યો છું. ભારત આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ નવું ભારત પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે.રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં જયશંકરે કહ્યું- અમને યુક્રેન સંઘર્ષ વિશે પૂછવામાં આવે છે કે અમે કોના પક્ષમાં છીએ અને અમારો જવાબ દરેક વખતે સીધો અને પ્રમાણિક હોય છે. ભારત શાંતિના પક્ષમાં છે. અમે શાંતિની તરફેણ કરીએ છીએ જે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો છે.

કેએફસીની ન્યૂ વેલ્યૂ ઓફર સાથે એપિક ટેસ્ટ અને એપિક...

બધા ચિકન લવર્સને કેએફસી એપિક ઓફરનો લાભ લેવા આમંત્રણ...

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here