Sunday, March 8, 2026
Homenationalઅમરનાથ યાત્રા માટે શિવભક્તો તૈયાર! આવતીકાલે પ્રથમ ટુકડી થશે રવાના, આ વર્ષે...

અમરનાથ યાત્રા માટે શિવભક્તો તૈયાર! આવતીકાલે પ્રથમ ટુકડી થશે રવાના, આ વર્ષે સુરક્ષામાં મોટો ફેરફાર

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અત્યાર સુધીમાં લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમરનાથ યાત્રાની સુરક્ષામાં પહેલીવાર ITBP તૈનાત

1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવતીકાલે ભગવતી નગરથી ભક્તોની પ્રથમ ટુકડી અમરનાથ ગુફા તરફ રવાના થશે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે યાત્રામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા 

જમ્મુ અને કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરથી કાશ્મીર સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ વર્ષે યાત્રામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ગત વર્ષે 44 દિવસની યાત્રામાં લગભગ 20 દિવસ ખરાબ હવામાનને કારણે પ્રવાસને ઘણી અસર થઈ હતી. આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો, જેઓ પર્વતીય યુદ્ધની તાલીમ લે છે, તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને બદલે ગુફા મંદિરમાં તૈનાત કરવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રાની સુરક્ષામાં પહેલીવાર ITBP તૈનાત

જ્યારે ITBP અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ લગભગ અડધો ડઝન કેમ્પની સુરક્ષા માટે તૈનાત કરાશે, જે અગાઉ દેશના પ્રાથમિક આંતરિક સુરક્ષા દળ CRPF દ્વારા રક્ષિત હતા. CRPF હજુ પણ ગુફા મંદિરના પગથિયાં નીચે તૈનાત રહેશે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર, નવી વ્યવસ્થા “ઉભરતા સુરક્ષા જોખમો અને પડકારોને” ધ્યાનમાં રાખીને અને “જમ્મુ અને કાશ્મીર પોલીસની જરૂરિયાતો” અનુસાર કરવામાં આવી છે

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here