Friday, June 5, 2026
Homenationalયુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો...

યુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો દાઝ્યાં

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ચોમાસુ સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ચાલુ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વીજળી પડવાના કારણે ઘણાં લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પાણીમાં ડૂબી જવાથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓમાં કુલ 34 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 17, પાણીમાં ડૂબી જવાથી 12 અને ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. તેમાંથી બાગપત, ઇટાવા, ઉન્નાવ, આગ્રા અને બલિયામાં વીજળી પડવાથી 1-1, જાલૌન, કાનપુર દેહાત, કન્નૌજ અને ગાઝીપુરમાં 2-2 અને મૈનપુરીમાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય સંત કબીર નગરમાં 1, બદાયુમાં 2, બરેલીમાં 4 અને રાયબરેલીમાં 5 વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ભારે વરસાદને કારણે એટા, કન્નૌજ અને કૌશામ્બીમાં 1-1 અને મુઝફ્ફરનગરમાં 2 વ્યક્તિનું મોત થયું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં વીજળી પડવા, પાણીમાં ડૂબવા અને ભારે વરસાદને કારણે થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દરેક મૃતકના આશ્રિતોને 4 લાખ રૂપિયાની સહાયનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વિવિધ કુદરતી આફતોમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. રાયબરેલીમાં 8 બાળકો વીજળીની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. આ 8 બાળકો રાયબરેલીના એક જ ગામના છે. જેમાંથી 3 બાળકો ઢોર ચરાવવા ગયા હતા, જયારે 5 બાળકો વરસાદ વચ્ચે ખેતરમાં ડાંગર રોપી રહ્યા હતા. માહિતી મળતાં જ પરિવારજનોએ તમામ બાળકોને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં બાળકોની હાલત નાજુક હોવાથી ડોકટરોએ પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકાની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને વરસાદ દરમિયાન ખુલ્લામાં ન રહેવા અપીલ કરવામાં આવી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here