Tuesday, April 29, 2025
Homenationalનૂહ રમખાણો સુનિયોજિત હતા, કોઈ રાજકીય પક્ષની ભૂમિકા તપાસનો વિષય, ડે.સીએમનું મોટું...

નૂહ રમખાણો સુનિયોજિત હતા, કોઈ રાજકીય પક્ષની ભૂમિકા તપાસનો વિષય, ડે.સીએમનું મોટું નિવેદન

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

નૂહ રમખાણો મામલે દુષ્યંત ચૌટાલાએ વધારી સરકારની મુશ્કેલી, કહ્યું – વહીવટી અધિકારીઓ સ્થિતિનું અનુમાન લગાવવામાં નિષ્ફળ રહ્યા

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે નૂહ રમખાણોમાં જે પણ સામેલ હતા ભલે પછી તે સગીર હોય કે પુખ્ત કોઈ પણ દોષિતને નહીં છોડીએ

નૂહ રમખાણો મામલે ફરી એકવાર દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર પાસે  એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં 3200 લોકો જ જોડાશે પણ તપાસનો વિષય એ છે કે તેનાથી પણ વધારે હજારો લોકો ત્યાં કેવી રીતે પહોંચી ગયા અને કેવી રીતે વહીવટી અધિકારીઓ સ્થિતિ બગડશે તેવો અનુમાન જ ન લગાવી શક્યા? ડેપ્યુટી સીએમએ વહીવટી નિષ્ફળતાની વાત સ્વીકારતાં કહ્યું કે સરકારના અધિકારી કોઈપણ સ્થિતિનું યોગ્ય રીતે આકલન ન કરી શક્યા. આ તપાસનો મામલો છે. દુષ્યંત ચૌટાલાએ નૂહમાં થયેલા રમખાણો અંગે કહ્યું કે રાજ્ય સરકારે ત્રણથી સાત કલાકમાં સ્થિતિને કાબૂમાં લઈ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોકે અનેક રાજ્યો એવા છે જ્યાં આવા રમખાણો બેથી ત્રણ દિવસ સુધી કાબૂમાં આવતા નથી. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે નૂહ રમખાણોમાં જે પણ સામેલ હતા ભલે પછી તે સગીર હોય કે પુખ્ત કોઈ પણ દોષિતને નહીં છોડીએ. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે નૂહ રમખાણો સુનિયોજિત હતા. તેમાં કોઈ રાજકીય પક્ષનો હાથ છે કે નહીં તે વ્યાપક તપાસનો વિષય છે. જોકે એડીજીપી કાયદા વ્યવસ્થાના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોઈને હટાવવા કે લાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. અમે ત્યાં આઈઆરબીની બટાલિયન કાયમીરૂપે નિયુક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીએમ અનેકવાર એવા નિવેદનો આપી રહ્યા છે જેના લીધે સરકારની જ મુશ્કેલી વધી રહી છે જેના લીધે હરિયાણામાં ગઠબંધનવાળી સરકાર પર ખતરો તોળાતો દેખાઈ રહ્યો છે. 

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here