Wednesday, August 5, 2026
Homenational5 મહિનાથી બંધ છે આ નેશનલ હાઈવે, કારણ છે ખેડૂતો, લોકોની મુશ્કેલી...

5 મહિનાથી બંધ છે આ નેશનલ હાઈવે, કારણ છે ખેડૂતો, લોકોની મુશ્કેલી ફરી વધશે, સરકાર શું કરી રહી છે?

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

હરિયાણાના અંબાલામાં કિસાન આંદોલનને કારણે છેલ્લા 5 મહિનાથી દિલ્હી-અમૃતસર હાઈવે બંધ છે. હરિયાણા-પંજાબ બોર્ડરને અલગ કરતી ઘગ્ગર નદીના એક કિનારે ખેડૂતો ઉભા છે, તો સામેની બાજુ અર્ધલશ્કરી દળો ઉભા છે. જેના કારણે શંભુ બોર્ડર પરનો આ રસ્તો 5 મહિનાથી સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે બંધ છે. અહીં રોજબરોજના કામકાજ તેમજ નોકરી કરવા જતા લોકોને આવવા- જવા માટે ઘગ્ગર નદીના કિનારે બનાવેલા પાકા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ, હાલમાં ખરાબ સમાચાર એ છે કે, હવે આ રસ્તો પણ બંધ થવાનો છે. જેના કારણે સ્થાનિક લોકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
ઘગ્ગર નદીમાં પાણીનો વધારો થતા પુલ અને રસ્તાઓ બંધ

હાલમાં પંજાબ, હરિયાણા અને હિમાચલમાં ચોમાસું બરોબર જામ્યું છે. ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘગ્ગર નદીમાં સતત પાણીનો વધારો થવાથી પુલ અને આસપાસના કાચા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામવાસીના જણાવ્યા પ્રમાણે, રોજબરોજ નોકરી માટે જતા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ હવે લોકોને એવો પણ ડર સતાવી રહ્યો છે કે, જો વરસાદ બાદ ઘગ્ગર નદીમાં પાણી વધી જશે તો, લોકો નોકરીએ કેવી રીતે જશે. જો કે, હવે થોડા સમયમાં જ ઘગ્ગર નદીમાં પાણીનું સ્તર વધશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ મામલે કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે: એસપી અંબાલા

જો કે, હરિયાણાથી પંજાબ જવા માટે આમ તો બીજા ઘણા પાકા હાઈવે છે, પરંતુ અંબાલા અને શંભુની નજીકના ગામો અને આસપાસના વિસ્તારોમાંથી મુસાફરી કરવા માટે લોકો પાકા રસ્તાઓનો ઉપયોગ કરે છે. અને જો લોકો બીજા રસ્તા પરથી જાય, તો તેમને 40 થી 50 કિલોમીટરની વધુ મુસાફરી કરવી પડશે. એસપી અંબાલા સુરેન્દ્ર સિંહે કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે, અને આ મામલે કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, હું હાલમાં જ જોડાયો છે, અને મેં આ અંગેની તમામ માહિતી માંગી છે. વાતચીત બાદ આ સમસ્યાનો ઉકેલ લાવીશું.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here