Thursday, October 3, 2024
HomeWorldવડાપ્રધાન મોદીએ યુદ્ધ બંધ કરવા નેતાન્યાહૂને અનુરોધ કર્યો

વડાપ્રધાન મોદીએ યુદ્ધ બંધ કરવા નેતાન્યાહૂને અનુરોધ કર્યો

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (તા. ૧૬ ઓગસ્ટે) ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, ૧૫મી ઓગસ્ટે પાઠવેલા શુભેચ્છા સંદેશ અંગે આભાર માનવા સાથે તેઓનો યુદ્ધમાં મદ્યાંતર રાખી છેવટે યુદ્ધ બંધ કરવા અનુરોધ કર્યો હતો.આ માહિતી આપતાં વડાપ્રધાનનાં કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાને બંધકોને છોડાવવાના પ્રયત્નો ચાલુ રાખવાં સાથે પરિસ્થિતિને થાળે પાડવા નેતન્યાહૂને ભારપૂર્વક કહ્યું હતું.વાસ્તવમાં, હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહની તહેરાનમાં થયેલી હત્યા માટે ઇરાને ઇઝરાયેલને જ જવાબદાર ગણી કહ્યું હતું કે યોગ્ય સમય અને સ્થળે તે આ હત્યાનો બરોબરનો જવાબ આપશે.સહજ છે કે આ સાથે મધ્યપૂર્વમાં વ્યાપક યુદ્ધની સ્થિતિ ઉપસ્થિત થાય જ. તેમાં ઇઝારયલથી ઉત્તરમાં ઇરાનનાં પીઠબળવાળાં હીઝબુલ્લાહ દક્ષિણ લેબેનોનમાંથી હુમલા કરી રહ્યા છે. હમાસે પણ ઇઝરાયલનાં પાટનગર તેલ અવિવ ઉપર રોકેટ અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલી સૈન્યની ટુકડીઓ ઉપર હમાસ એમ-૯૦ પ્રકારનાં રોકેટ હુમલા કરી રહ્યા છે. તેમણે તેલ અવીવ ઉપર પણ એમ-૯૦ રોકેટસ છોડયાં હતાં પરંતુ તે અધવચ્ચે જ તોડી પાડવામાં આવ્યાં. માત્ર બે વાર રોકેટસ તેલ અવિવના બાહ્ય વિસ્તારો પર પડયાં.આમ આ યુદ્ધનો કોઈ અંત અત્યારે દેખાતો નથી. ઇઝરાયલને તો અમેરિકા અને યુરોપના દેશો સ્ટીમરો ભરીને શસ્ત્રો આપે છે. ઇઝરાયલે વળતા પ્રહારોમાં કશું બાકી નથી રાખ્યું તે સંયોગોમાં મધ્યપૂર્વના પ્રદેશમાં ક્યારે દાવાનળ ફાટી નીકળે તે કહેવાય તેમ નથી. તેવે સમયે મોદીનો શાંતિનો સંદેશો ઉલ્લેખનીય બની રહ્યો છે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here