Tuesday, April 29, 2025
HomeIndiaઅમદાવાદની બાળકીને બદલાપુર ઘટનાની પીડિતા બતાવી, સોશિયલ મીડિયા પર ફોટા થયા વાયરલ

અમદાવાદની બાળકીને બદલાપુર ઘટનાની પીડિતા બતાવી, સોશિયલ મીડિયા પર ફોટા થયા વાયરલ

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

Badlapur Sexual Abuse Case Photo Viral: કોલકાત્તા આર જી કર મેડિકલ કૉલેજમાં થયેલ બળાત્કાર અને મર્ડરની ઘટનાની પીડિતાના ફોટો વાયરલ કરવા મામલે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતાં પગલાં લેવા નિર્દેશ કર્યો હતો. બીજી બાજુ મહારાષ્ટ્રના બદલાપુરમાં નર્સરીમાં અભ્યાસ કરતી બે બાળાઓ સાથે યૌન શોષણની ઘટનામાં અમદાવાદના એક પરિવારની તાજેતરમાં મૃત્યુ પામેલી બાળકીના ફોટો પીડિતાના ફોટો તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના લીધે પરિવાર ભારે સંતાપ અનુભવી રહ્યો છે. આ પરિવારે લોકોને ખોટા ફોટા વાયરલ નહીં કરવા માટે વિનંતી કરી છે. સાથે સાથે તેમણે પોતાના પરિવારની બાળકીનો ફોટો ખોટી રીતે વાયરલ કરનારાઓને શોધી કાઢી તેની વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવા સાયબર ક્રાઇમ પોલીસને અરજી પણ કરી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જાધવ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તેમના પરિવારની દીકરીનું માત્ર ત્રણ જ વર્ષની વયે ડેન્ગ્યુના લીધે ગઈ તા 20મી ઑગસ્ટે અમદાવાદના નરોડાની હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેના કારણે પરિવાર ભારે માનસિક આઘાતમાં છે. તેવામાં હાલમાં બદલાપુર યૌન શોષણ કેસમાં આ બાળકીના ફોટો બદલાપુરની પીડિત બાળકીના ફોટો તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના લીધે આ પરિવારની માનસિક વેદનામાં વધારો થયો છે. આ બાળકીએ બ્લેક તથા ગુલાબી રંગના વસ્ત્રો પહેર્યાં હોય તેવા તેના ફોટા બદલાપુરની પીડિત બાળકી તરીકે મૂકી પોસ્ટ કરવામાં આવી રહી છે તેવું આ પરિવારના સભ્યોએ જણાવ્યું છે.

ફોટો વાયરલ કરનારા વિરૂદ્ધ પગલાં લેવા માગ :
તેમણે મહારાષ્ટ્ર સરકાર તથા પોલીસને આ ફોટા વાયરલ થતાં અટકાવી તેમને ન્યાય અપાવવા માગણી કરી છે. સાથે સાથે તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને આવી ખોટી પોસ્ટ વાયરલ કરનારને શોધી કાઢવા, જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવા તથા ભવિષ્યમાં આ રીતે ખોટી પોસ્ટ વાયરલ ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવા સહિતની માગણી કરતી એક અરજી પાઠવી છે.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here