Friday, June 5, 2026
HomeIndiaસરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા જેવી હાલત, રૂ. 5 કરોડ...

સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા જેવી હાલત, રૂ. 5 કરોડ પાણીમાં

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બિહારના અરરિયા જિલ્લામાં એક ખેતરમાં પુલ બનાવવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યાં એક ગામના ખેતરમાં પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પુલ પર ચઢવાનો રસ્તો જાણી શકાયો ન હતો. હવે મુઝફ્ફરપુરમાં પાંચ કરોડો રૂપિયાના ખર્ચે ખેતરમાં બનેલી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. આ સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા બની ગયું હતું અને ખંડેર હાલતમાં હતું.અહેવાલો અનુસાર, મુઝફ્ફરપુર જિલ્લાના ચાંદપુરા ગામમાં 6 એકર જમીન પર બનેલી આ 30 બેડની સરકારી હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી. વર્ષ 2015થી આજદિન સુધી આરોગ્ય વિભાગે તેનો કબજો લીધો નથી. આ હોસ્પિટલમાં એક પણ દર્દીની સારવાર કરવામાં આવી નથી. તેમજ આ હોસ્પિટલની સૌથી રસપ્રદ વાત એ છે કે આરોગ્ય વિભાગને પણ તેની જાણ નથી. 10 વર્ષ પહેલા આ સરકારી હોસ્પિટલ બની હતી. હવે સ્થિતિ એવી છે કે ચોરો હોસ્પિટલની બારી, દરવાજાની ફ્રેમ, દરવાજા, ગ્રીલ, ગેટ, કબાટ, ઈલેક્ટ્રીકલ વાયરીંગ અને અન્ય સાધનો ચોરી ગયા છે. હોસ્પિટલ હવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે. આ 30 બેડની હોસ્પિટલના કેમ્પસમાં, આરોગ્ય કર્મચારીઓના રહેવા માટે ત્રણ બિલ્ડીંગ અને ટેસ્ટિંગ સેન્ટર માટે એક બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. પરંતુ ત્રણેય ઈમારતો આજે ખંડેર હાલતમાં છે. ગ્રામીણ સુધીર કુમારે જણાવ્યું કે, ‘આ પૂર પ્રભાવિત વિસ્તાર છે. અહીંની વસ્તી 1 લાખની આસપાસ છે. જ્યારે આ હોસ્પિટલ બની રહી હતી ત્યારે તેની ભવ્યતા જોઈને આસપાસના લોકોને આશા હતી કે હવે તેમને સારી સારવાર માટે 50 કિલોમીટર દૂરના શહેરમાં જવું નહીં પડે. પરંતુ આ હોસ્પિટલ આટલી ભવ્ય બનાવાઈ હોવા છતાં કાર્યરત થઈ નથી. હોસ્પિટલની આસપાસ ઘણું જંગલ છે. ગ્રામજનો અહીં આવતા ડરે છે.’

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here