Saturday, July 25, 2026
HomeIndiaસરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા જેવી હાલત, રૂ. 5 કરોડ...

સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા જેવી હાલત, રૂ. 5 કરોડ પાણીમાં

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

બિહારના અરરિયા જિલ્લામાં એક ખેતરમાં પુલ બનાવવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યાં એક ગામના ખેતરમાં પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પુલ પર ચઢવાનો રસ્તો જાણી શકાયો ન હતો. હવે મુઝફ્ફરપુરમાં પાંચ કરોડો રૂપિયાના ખર્ચે ખેતરમાં બનેલી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. આ સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા બની ગયું હતું અને ખંડેર હાલતમાં હતું.અહેવાલો અનુસાર, મુઝફ્ફરપુર જિલ્લાના ચાંદપુરા ગામમાં 6 એકર જમીન પર બનેલી આ 30 બેડની સરકારી હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી. વર્ષ 2015થી આજદિન સુધી આરોગ્ય વિભાગે તેનો કબજો લીધો નથી. આ હોસ્પિટલમાં એક પણ દર્દીની સારવાર કરવામાં આવી નથી. તેમજ આ હોસ્પિટલની સૌથી રસપ્રદ વાત એ છે કે આરોગ્ય વિભાગને પણ તેની જાણ નથી. 10 વર્ષ પહેલા આ સરકારી હોસ્પિટલ બની હતી. હવે સ્થિતિ એવી છે કે ચોરો હોસ્પિટલની બારી, દરવાજાની ફ્રેમ, દરવાજા, ગ્રીલ, ગેટ, કબાટ, ઈલેક્ટ્રીકલ વાયરીંગ અને અન્ય સાધનો ચોરી ગયા છે. હોસ્પિટલ હવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે. આ 30 બેડની હોસ્પિટલના કેમ્પસમાં, આરોગ્ય કર્મચારીઓના રહેવા માટે ત્રણ બિલ્ડીંગ અને ટેસ્ટિંગ સેન્ટર માટે એક બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. પરંતુ ત્રણેય ઈમારતો આજે ખંડેર હાલતમાં છે. ગ્રામીણ સુધીર કુમારે જણાવ્યું કે, ‘આ પૂર પ્રભાવિત વિસ્તાર છે. અહીંની વસ્તી 1 લાખની આસપાસ છે. જ્યારે આ હોસ્પિટલ બની રહી હતી ત્યારે તેની ભવ્યતા જોઈને આસપાસના લોકોને આશા હતી કે હવે તેમને સારી સારવાર માટે 50 કિલોમીટર દૂરના શહેરમાં જવું નહીં પડે. પરંતુ આ હોસ્પિટલ આટલી ભવ્ય બનાવાઈ હોવા છતાં કાર્યરત થઈ નથી. હોસ્પિટલની આસપાસ ઘણું જંગલ છે. ગ્રામજનો અહીં આવતા ડરે છે.’

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here