Tuesday, March 10, 2026
HomeIndiaમણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત

મણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

મણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી છે. કૂકી અને મૈતેઇ જૂથો વચ્ચે અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત થઈ ગયા છે. શંકાસ્પદ લોકોએ એક મકાનમાં આગ ચાંપી દીધી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઘટનાસ્થળે અંધાધૂંધ ગોળીબાર ચાલુ છે. આ હુમલો જીરીબામ જિલ્લાના નુંગસેકપીમાં થયો હતો, જે જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 7 કિમી દૂર છે.આ મામલો એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘરમાં સૂઈ રહેલા એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. બીજી તરફ બે વિરોધી જૂથોના સશસ્ત્ર લોકો વચ્ચે અંધાધૂંધ ગોળીબારમાં અન્ય 4 લોકોના મોત થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે, ઉગ્રવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિમી દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને જ્યારે તે સૂતો હતો ત્યારે તેને ગોળી મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લગભગ 7 કિલોમીટર દૂર પહાડીઓમાં લડતા સમુદાયોના સશસ્ત્ર લોકો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 3 પહાડી ઉગ્રવાદીઓ સહિત 4 સશસ્ત્ર લોકોના મોત થઈ ગયા છે. આ પહેલા શુક્રવારે રાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગના ઘર પર રોકેટ દ્વારા હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક વૃદ્ધનું મોત અને છ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.થોડા દિવસો પહેલા મણિપુરના સેનજમ ચિરાંગમાં વધુ એક ડ્રોન બોમ્બ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. મણિપુર પોલીસે પર એક નિવેદનમાં આ માહિતી આપી હતી. આ સાથે જ એમ પણ કહ્યું કે સુરક્ષા દળો વિસ્તારમાં તેહનાત છે. તાજેતરનો આ હુમલો ‘શંકાસ્પદ કૂકી વિદ્રોહીઓ’ દ્વારા લોન્ચ કરવામાં આવેલ અનેક ડ્રોન દ્વારા ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌટ્રુક ગામમાં બોમ્બમારોના એક દિવસ બાદ થયો છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here