Tuesday, May 6, 2025
HomenationalCBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

Date:

spot_img

Related stories

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...
spot_img

સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો પર ગેરકાયદે રીતે જાસૂસી કરવામાં આવી રહી હતી એટલે સુધી કે સીમકાર્ડના ઉપયોગમાં ગરબડ અને મોબાઇલ નંબરના કલોનિંગની પણ આશંકા છે.

તેનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે જે નંબરો પર ટેપિંગ કરીને જાસૂસી કરવામાં આવી હતી તેમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અ‌જિત ડોભાલ અને સીબીઆઇના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાના નંબરોનો પણ સમાવેશ થાય છે.

આ પ્રકારની આશંકા ત્યારે વ્યકત કરવામાં આવી છે જ્યારે કાયદા સચિવ સુરેશચંદ્રએ જણાવ્યું હતું કે તેઓ ૮ નવેમ્બરે લંડનમાં નહોતા. ટ્રાન્સફર કરવામાં આવેલા સીબીઆઇ ડીઆઇજી મનીષ સિંહાએ પોતાની અરજીમાં એવો આરોપ મૂકયો છે કે ચંદ્રએ બિઝનેસમેન સતીશ સના (રાકેશ અસ્થાના વિરુદ્ધ આરોપ મૂકનાર) સાથે મુલાકાત કરી હતી.

એવો આક્ષેપ છે કે આ મુલાકાત કરાવવામાં આંધ્રપ્રદેશ કેડરના આઇએસ અધિકારી રેખા રાનીએ પણ મદદ કરી હતી. મનીષ સિંહાએ સનાને ટાંકીને જણાવ્યું હતું કે રેખા રાની વિવાદિત બિઝનેસમેન ચંદ્રા સાથે તેમના લંડનવાળા નંબર પર વાત કરવા જણાવ્યું હતું.

આ અંગે કાયદા સચિવ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર એક જ વખત જુલાઇમાં લંડન ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોઇને પણ ફસાવવા માટે આ એક પરફેકટ સ્ક્રીપ્ટ હતી. તમે કોઇ પણ ને ફોન કોલના આધારે ઝડપી શકો છો. આ પ્રકારના રિપોર્ટથી એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે અસ્થાના અને ડોભાલના ફોન પણ સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા.

કોઇ પણ તપાસ એજન્સી ગૃહસચિવની મંજૂરી વગર કોઇનો પણ ફોન સર્વેલન્સ પર રાખી શકે નહીં. ખાસ વિશેષાધિકારો સાથે એજન્સીના વડા કટોકટીની સ્થિતિમાં જ આવું કરી શકે અને તેની પ્રક્રિયા પણ લાંબી હોય છે. એજન્સીએ ગૃહ સચિવને આ અંગે ત્રણ દિવસમાં જાણ કરવાની હોય છે અને ત્યાર બાદ સાત દિવસમાં નિર્ણય લેવાનો હોય છે.

મનીષ‌ સિંહાએ પોતાની અરજીમાં ફોન સર્વેલન્સની વાત કરી છે. સિંહાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રાકેશ અસ્થાનાની વાતચીતનું વિવરણ પણ રજૂ કર્યું છે.

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here