Monday, September 23, 2024
HomeIndiaબિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત,ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, બિહારમાં...

બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત,ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, બિહારમાં હાઈવે બેટમાં ફેરવાયા

Date:

spot_img

Related stories

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે:...

આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ...

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...

KFC પાયોનિયર્સ QSR ઇન્ડસ્ટ્રી-તમામ કર્મચારીઓ માટે પ્રથમ સાઇન લેંગ્વેજની...

કેટલીકવાર, એકબીજાને સમજવા માટે માત્ર એક સંકેત હોય છે....

જમ્મુ-કાશ્મીરમાં રારાહુલ ગાંધીએ કહ્યું કે હવે એ મોદી નથી...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા...
spot_img

બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓના જળસ્તરમાં વધ-ઘટ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે જ્યારે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી છે. બકસર, આરા, પટના અને હાજીપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થયો છે. જ્યારે ભાગલપુર, મુંગેર, લખીસરાય અને બેગુસરાયમાં ગંગાના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી છે. મુંગેર-ભાગલપુર નેશનલ હાઇવે-80 પર એકથી દોઢ ફૂટ પાણી વહી રહ્યું છે. ગંગા ખતરાના નિશાનથી 55 સેમી ઉપર વહી રહી છે. ભાગલપુર જિલ્લાના છ તાલુકા ગોપાલપુર, ઇસ્માઇલપુર, નાથનગર, સબૌર, કહલગાવ અને સુલતાનગંજમાં ગંગાનું પાણી ફેલાઇ ગયું છે. ખેતરોમાં શાકભાજી અને મકાઇના પાક ડૂબી ગયા છે.

બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. દિયારાના ખુટહા ચેતના ટોલામાં સ્મિતા કુમારીનું મોત થયું છે. ઉપ મુખ્યપ્રધાન વિજયકુમાર સિન્હાથી બડહિયા પહોંચીને રાહત શિબિરનું નિરીક્ષણ કર્યુ છે. બિહારમાં પૂરને કારણે 12 જિલ્લાઓના 12.67 લાખ લોકોને અસર થઇ છે. ગંગા નદી પટણાના દીધા ઘાટા પર 1.16 અને ગાંઘી ઘાટ પર 1.51 મીટર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કટિહારમાં ગંગા, કોસી, કારી કોસી, બરંડી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મનિહારીના પાંચ પંચાયતોમાં પૂરનું પાણી પ્રવેશી ગયું છે. પૂરને કારણે જિલ્લાની 21 યુનિવર્સિટીઓના શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેદારનાથ માટેનો પદયાત્રા માટેનો માર્ગ ધ્વસ્ત થઇ ગયો છે. કેદારનાથ પગપાળા માર્ગનો 15 મીટરનો હિસ્સો ધરાશયી થઇ ગયો છે. જેના કારણે શનિવાર સાંજથી કેદારનાથની અવરજવર બંધ છે. દર્શન કરી પરત ફરી રહેલા 5000થી વધુ તીર્થ યાત્રીઓને વૈકલ્પિક માર્ગથી સુરક્ષિત રીતે ગૌરીકુંડ લઇ જવામાં આવ્યા હતાં. મધ્ય પ્રદેશમાં 1 જૂનથી 22 સપ્ટેમ્બર સુધીમાં 1063.3 મિમી વરસાદ પડયો છે જે વાર્ષિક સરેરાશ વરસાદથી 15 ટકા વધારે છે. છેલ્લા 18 વર્ષોમાં પ્રથમ વખત વાર્ષિક સરેરાશ વરસાદથી વધુ વરસાદ પડયો છે.

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે:...

આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ...

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...

KFC પાયોનિયર્સ QSR ઇન્ડસ્ટ્રી-તમામ કર્મચારીઓ માટે પ્રથમ સાઇન લેંગ્વેજની...

કેટલીકવાર, એકબીજાને સમજવા માટે માત્ર એક સંકેત હોય છે....

જમ્મુ-કાશ્મીરમાં રારાહુલ ગાંધીએ કહ્યું કે હવે એ મોદી નથી...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here