Saturday, March 7, 2026
Homenationalજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ છ આતંકીને ઠાર માર્યા: સર્ચ ઓપરેશન જારી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ છ આતંકીને ઠાર માર્યા: સર્ચ ઓપરેશન જારી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ આજે વહેલી સવારે આતંકીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરીને છ આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અનંતનાગના બિજબેહરાના સેકિપોરા ગામમાં અથડામણ થઈ હતી. સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ જારી છે અને આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકાથી વધુ જવાનોને ઓપરેશનમાં તહેનાત કરવામાં આવ્યા છે.
ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સના આધારે ભારતીય સેના અને સુરક્ષાદળોએ આજે વહેલી સવારે અનંતનાગ અને ત્યારબાદ બિજબહેરા તથા સેકિપોરા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ગામના એક ઘરમાં છુપાયોલા આતંકીઓએ અચાનક સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષાદળોએ પણ વળતો જવાબ આપ્યો હતો અને ઘરમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓને ચોતરફથી ઘેરી લીધા હતા. સેનાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર ઘણું લાંબું ચાલ્યું હતું અને સુરક્ષાદળોએ છ આતંકીઓને ઠાર માર્યા બાદ ફાયરિંગ રોકી લીધું હતું.
આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આતંકીઓને તેમના સ્લીપર સેલ અને સ્થાનિક લોકો કોઈ પ્રકારની મદદ ન કરી શકે તે માટે સમગ્ર અનંતનાગમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આતંકીઓએ ગઈ કાલે સવારે ખુડવની (કૂલગામ)માં સૈન્ય શિબિર પર અને મોડી સાંજે શોપિયામાં સુરક્ષાદળો પર બે અલગ-અલગ હુમલા કર્યા હતા. કૂલગામમાં ક્રોસ ફાયરિંગમાં એક સ્થાનિક યુવતીને ગોળી વાગવાથી ગંભીર ઈજા થઈ હતી.
આ અગાઉ મંગળવારે શોપિયાના નદીગામ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં સેનાના એલિટ પેરાયુનિટનો જવાન એચ.સી. વિજય શહીદ થયો હતો અને બે અન્ય સૈનિક ઘવાયા હતા.
દક્ષિણ કાશ્મીરના અચબલમાં આતંકીઓએ એ જ ‌િદવસે હુર્રિયત નેતા હફીઝુલ્લા મીરની ગોળીઓ મારી હત્યા કરી દીધી હતી. આ પહેલા ૧૪ નવેમ્બરે એલઓસી (નિયંત્રણ રેખા) નજીક ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલા ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા.

jammu kashmir army security
jammu kashmir army security

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here