Friday, May 30, 2025
HomeIndiaપતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું, કર્ણાટકની હચમચાવતી...

પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું, કર્ણાટકની હચમચાવતી ઘટના

Date:

spot_img

Related stories

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...
spot_img

કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ તેના પતિનું દેવું ચૂકવવા માટે પોતાના જ બાળકને વેચી માર્યું હતું. મહિલાએ પતિની જાણ બહાર જ 30 દિવસના નવજાતને બારોબાર વેચી દીધું હતું. પતિએ દીકરો ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ કરતાં આ ભાંડો ફૂટ્યો હતો.

1.5 લાખમાં વેચી માર્યું :
મહિલાએ તેના 30 દિવસના નવજાત બાળકને 1.5 લાખ રૂપિયામાં વેચી માર્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ સાથે બાળકના ખરીદનાર અને અન્ય બે સહયોગીઓની પણ ધરપકડ કરાઈ છે. પોતાના જ બાળકને વેચવા પાછળનું કારણ મહિલાએ પતિના માથે દેવું હોવાનું જણાવ્યું હતું.બાળકને બચાવીને માંડ્યાના બાળ કલ્યાણ ગૃહમાં મોકલી દેવાયો હતો. મહિલાના પતિએ 7 ડિસેમ્બર, 2024ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો નવજાત પુત્ર ઘરેથી ગુમ થયો હતો અને તેને તેની પત્નીની મિલીભગતથી કંઈક ખોટું થયું હોવાની શંકા હતી. પતિ-પત્ની બંને રોજીરોટી માટે મજૂરી કરે છે અને તેમને પાંચ બાળકો છે. ઓછી આવકના કારણે દંપતીને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.

સંબંધીને ત્યાં મોકલ્યાનું બહાનુ કર્યું હતું :
નવજાત બાળકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, “5 ડિસેમ્બરની સાંજે હું કામ પરથી ઘરે પાછો ફર્યો અને જોયું કે મારો પુત્ર ગુમ હતો. જ્યારે મેં પૂછપરછ કરી તો મારી પત્નીએ મને કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ છે અને તેણે તેને એક સંબંધી પાસે મોકલી દીધો છે. આનાથી હું ભોજન લીધા બાદ કામ પર ગયો અને રાત્રે પાછો ફર્યો, પરંતુ ફરીથી મારા પુત્ર અને મારી પત્નીએ એ જ વાતનું પુનરાવર્તન કર્યું, પરંતુ આ વખતે મને શંકા હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે, “જ્યારે મને શંકા ગઈ, ત્યારે મેં મારી પત્ની પાસેથી ડૉક્ટર કે સંબંધીનો નંબર માંગ્યો. પરંતુ તે બહાના કરવા લાગી, જેના કારણે અમારી વચ્ચે ઝઘડો થયો. ફરિયાદ બાદ મહિલા પોલીસ બાળકની માતાને મળવા ગઈ હતી. રિપોર્ટ અનુસાર એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, “આરોપીએ બાળક તેના સંબંધી પાસે હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.” જો કે, આ પછી મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે પોતાનું બાળક બેંગલુરુની એક મહિલાને 1.5 લાખ રૂપિયામાં વેચ્યું હતું.

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here