
અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે 5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે 5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ભેટ રાજ્યને મળશે. આ ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપવા અંતર્ગત 25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે ખાસ કાર્યક્રમ યોજાનારા છે.આ વિકાસ કાર્યોમાં ખાસ રેલવેના 1404 કરોડ, શહેરી વિકાસ 2548 કરોડ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ 1122 કરોડ, માર્ગ અને મકાન 307 કરોડ અને રેવન્યૂ વિભાગ 96 કરોડનો કામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણનો સમાવેશ કરાયો છે, સાથે જ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા 608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેથી અમદાવાદમાં વીજ વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ અને તેનું વિસ્તરણ કરવાનો છે.આ ઉપરાંત 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, 66kV ગોતા સબસ્ટેશન, 66kV ચાંદખેડા-2 સબસ્ટેશન, વિરમગામ ખુદડ રોડ કિમી 0/00 થી 21/400નું લોકાર્પણ વગેરેનો સમાવેશ થાય છે.


