
ખેડા: સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છેSDRFની ટીમ રસિકપુરા ગામમાં ફૂડ પેકેટ આપવા માટે પહોંચી છે. રસિકાપુરા અને તેની આસપાસના ગામો પણ સાબરમતીના પાણીથી પ્રભાવિત થયા છે. સ્થાનિકોની હાલત પાણીના લીધે કફોડી બની છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ધાભા ચડી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે. ખેડા-ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફળી વળતા પશુપાલકોની હાલત કફોડી બની ગઇ છે. ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા છે. હવે પશુઓને ખવડાવવાની સમસ્યા ઉભી થઇ છે, ઘાસચારો પણ નથી. લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં 9થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થતા લોકો પોતાના ધાબા પર રહી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા છે. કલોલી ગામથી પથાપુરા થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે.


