
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે(9 સપ્ટેમ્બર) ચૂંટણી યોજાઈ હતી. જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં હતા. જેમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતગણતરી દરમિયાન 752 મત માન્ય ગણાયા અને 16 મત અમાન્ય ગણાયા. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા, જ્યારે INDI બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને 300 મત જ મળ્યા. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની હતી.ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ. આ પહેલા આજે(9 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 768 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 788 સાંસદો છે. હાલમાં બંને ગૃહોમાં 7 બેઠકો ખાલી છે. આ રીતે કુલ 781 સાંસદોએ મતદાન કરવાનું હતું, જેમાંથી 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જેમાં BRSના 4, BJDના 7, અકાલી દળના 1 અને 1 અપક્ષ સાંસદે મતદાન કર્યું ન હતું. NDAના 427 સાંસદોએ મતદાન કર્યું હતું.


