Friday, June 5, 2026
HomeAhmedabadઅમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ

અમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે અધિકારીઓની ટીમ સાથે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રી-ડેવલપમેન્ટ (પુનર્વિકાસ) કાર્યોનું નિરીક્ષણ કર્યું.

નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બાંધકામ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને કામ સમયબદ્ધ રીતે તથા ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચનાઓ આપી.

આ દરમિયાન સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો હેઠળ ગર્ડર અને ટ્રેસ લોન્ચિંગની આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. આયોજન દરમિયાન ટ્રેન મૂવમેન્ટ અને બ્લોક સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ પ્રસંગે નિર્માણ વિભાગના ચીફ પ્રોજેક્ટ મેનેજર શ્રી ડી. આર. ચૌધરી તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ પૂર્ણ થયા બાદ કોન્કોર્સ વિસ્તારમાં વિશાળ વેઇટિંગ હોલ અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે મુસાફરોને વધુ સગવડ અને ઉત્તમ ભોજન સુવિધા મળશે. કોન્કોર્સનું ક્ષેત્રફળ અંદાજે 110 × 36 વર્ગમીટર હશે. હાઇ-રૂફનું કદ 122 × 171 મીટર અને 88 × 110 મીટર રહેશે, જેના દ્વારા કુલ અંદાજે 30,542 વર્ગમીટર વિસ્તાર ટ્રેક ઉપર આવરી લેવામાં આવશે. આ છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે.
સ્ટેશન પુનર્વિકાસ યોજના અંતર્ગત મુસાફરોની સુવિધા માટે 20 લિફ્ટ, 20 એસ્કેલેટર અને 20 સીડીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ આધુનિક સુવિધાઓથી મુસાફરોની અવરજવર સરળ બનશે.

ડીઆરએમએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિકસાવવામાં આવી રહેલી આધુનિક મુસાફર સુવિધાઓ, સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ વિસ્તાર અને અન્ય મૂળભૂત માળખાકીય સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે બાંધકામ એજન્સીઓને સુરક્ષા ધોરણોનું પાલન કરતાં કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી, જેથી મુસાફરોને ટૂંક સમયમાં વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી શકે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here