
પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલ્લાને આ બીજું સૂર્ય તિલક છે. સૂર્ય તિલક બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્ત દરમિયાન કરવામાં આવ્યું હતું. ભગવાનના લલાટ પર નવ મિનિટ સુધી સૂર્ય કિરણો ઝળહળ્યા.
સૂર્ય તિલક સાથે જ રામલલ્લાનો જન્મ થયો હતો. આ દરમિયાન, ગર્ભગૃહમાં 14 પૂજારી હાજર હતા. વિશેષ પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. સૂર્ય તિલક પછી, રામલલ્લાના મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. હવે, રામલલ્લાને 56 પ્રકારનો ભોજનનો ભોગ ધરાવવામાં આવ્યો. આ દરમિયાન પીએમ મોદીએ ટીવી પર રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યા હતા. તેઓ ટીવી પર રામલલ્લાના દર્શન કરતા હાથ જોડીને ઉભા દેખાયા હતા.
સૂર્ય તિલક માટે 20 અષ્ટધાતુ પાઈપોનો ઉપયોગ કરીને 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી. તેમાં ચાર લેન્સ અને ચાર મિરર દ્વારા ગર્ભગૃહ સુધી રામલલ્લાના લલાટ પર સૂર્ય કિરણો ઝળહળતા કરાયા હતા.
આ પહેલા રામલલ્લાને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. સવારે રામલલ્લાની આરતી કરવામાં આવી છે. ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.રામ નવમી પર સામાન્ય દિવસોની સરખામણીમાં ભક્તો 3 કલાક વધુ રામલલ્લાના દર્શન કરી શકશે. શ્રદ્ધાળુઓ સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરશે. પહેલાં સવારે 6:30 થી રાત્રે 9:30 સુધી રહે છે.
આજે રામલલ્લાના દર્શન કરવા માટે લગભગ 10 લાખ લોકો પહોંચ્યા છે. રામ જન્મભૂમિ સંકુલમાં લાંબી લાઇનો લાગી ગઈ છે. રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથ પર ભારે ભીડ જોવા મળે છે.
