
નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભગવાન જગન્નાથજીની 149 પવિત્ર રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.કાર્યક્રમની શરૂઆત ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને આરતી સાથે થઈ હતી. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ “જય જગન્નાથ” ના જયઘોષ સાથે શાળા પરિસરમાં પ્રતિકાત્મક રથયાત્રા યોજી હતી.
વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજીના જીવન અને રથયાત્રાના ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ વિશે માહિતી રજૂ કરી હતી. આ ઉપરાંત, તેમણે ભક્તિગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા.
