શિવરાજસિંહ આજે ગુજરાત પહોંચશે : શ્રેણીબદ્ધ કાર્યક્રમો

0
33

શિવરાજસિંહ આજે ભાજપ સભ્યવૃદ્ધિ અભિયાનની સાથે સાથે વૃક્ષારોપણ કરશે : કાર્યક્રમમાં વાઘાણી પણ પહોંચશે

અમદાવાદ,તા.૨૭
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સંગઠન પર્વના રાષ્ટ્રીય સયોજક શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલથી બે દિવસની યાત્રાએ ગુજરાત પહોંચી રહ્યા છે. શિવરાજસિંહ બે દિવસની યાત્રા દરમિયાન જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યકરોને માર્ગદર્શન પણ આપશે. ૨૯મીએ સુરતના હજીરામાં ચાર હજારથી વધુ યુવા કર્મીઓ સાથે વાતચીત કરશે. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ તથા ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગામી તારીખ ૨૮ અને ૨૯, જુલાઇ ૨૦૧૯ એમ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલ તારીખ ૨૮ અને ૨૯ જુલાઇના રોજ સુરત ખાતે ભાજપા દ્વારા યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સદસ્યતા વૃધ્ધિ અભિયાનના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગામી તારીખ ૨૮ જુલાઇ, ૨૦૧૯ના રોજ સાંજે ૫.૦૦ કલાકે સુરત એરપોર્ટ ખાતે આવશે. ત્યારબાદ સાંજે ૫.૩૦ કલાકે તેઓ સુરત ખાતે આવેલ પાંડેસરાની સેવાવસ્તીમાં જઇ ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાનની સાથે સાથે વૃક્ષારોપણ કરશે. શિવરાજસિંહ ચૌહાણ સાંજે ૭.૦૦ કલાકે મોઢ વણીક સમાજવાડી, લાલદરવાજા, સુરત શહેર ખાતે પ્રતિષ્ઠિત અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરશે તેમજ સદસ્યતા અભિયાન અંગે માહિતગાર કરશે. આ પ્રસંગે તેઓ જનસંઘના કાર્યકર્તાઓનું સન્માન કરશે. તારીખ ૨૯, જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ કલાકે સુરતના હજીરા સ્થિત ઇચ્છાપોર ખાતે આવેલ હરિકૃષ્ણ એક્ષ્પોર્ટની મુલાકાત લઇ તેના ૪૦૦૦ યુવા કર્મચારીઓ સાથે ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત વાર્તાલાપ કરશે.